Lucknow તા. 7
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 48 કલાકમાં, સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનેગારોનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ‘ઓપરેશન લંગડા’ અને ‘ઓપરેશન ખલ્લાસ’ હેઠળ કરવામાં આવી હતી.
મેરઠથી મુઝફ્ફરનગર સુધી પોલીસે ગુનેગારોનું એનકાઉન્ટર કરી તેમને પકડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ આખા ઉત્તર પ્રદેશમાં ‘ઓપરેશન લંગડા’ અને ‘ઓપરેશન ખલ્લાસ’નો ઓર્ડર આપ્યો છે.
ઓપરેશન લંગડાનો અર્થ છે, ગુનેગારોના પગમાં ગોળી મારીને તેમને લંગડા કરવા અને બાદમાં તેમની ધરપકડ કરવી. વળી ‘ઓપરેશન ખલ્લાસ’નો અર્થ છે, મોટા ગુનેગારોને ઠાર કરી દેવા. મુખ્યમંત્રી યોગીનો સ્પષ્ટ સંદેશ છે કે, ગુનાની સજા ફક્તને ફક્ત એનકાઉન્ટર છે.
છેલ્લા 48 કલાકમાં, યુપી પોલીસે એક પછી એક લગભગ 20 એન્કાઉન્ટર કર્યા છે. તેમણે દરેક શહેરમાં ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું છે. મેરઠથી મુઝફ્ફરનગર, ર્ફખાબાદથી ફિરોઝાબાદ, મુરાદાબાદથી મથુરા, હરદોઈથી ઉન્નાવ, ઝાંસીથી બુલંદશહેર, બાગપતથી બલિયા, લખનૌથી ગાઝિયાબાદ અને શામલીથી ઝાંસી સુધી પોલીસે આ કાર્યવાહી કરી છે.
યુપીના ફિરોઝાબાદમાં થયેલા પોલીસ બે કરોડની લૂંટ કરનાર કુખ્યાત આરોપી નરેશને લૂંટનો સામાન મેળવવા માટે લઈ જઈ રહી હતી. ત્યારે તે યુપી પોલીસની પકડમાંથી ભાગી જાય છે. પોલીસે આરોપીને પકડવા માટે 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેને એન્કાઉન્ટરમાં તેને ઠાર કરાયો હતો
5 ઓક્ટોબરની રાત્રે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે ઈમરાન નામના એક આરોપીને એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. ઈમરાન પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. તે લૂંટના 13 જેટલા કેસમાં ફરાર હતો.
મુઝ્ઝફરનગરમાં પણ પોલીસે એકબાદ એક 2 એન્કાઉન્ટર કર્યા હતા. પહેલાં પોલીસે એક લાખ રૂપિયાના ઈનામી ગુનેગાર મેહતાબનું એન્કાઉન્ટર કર્યું, જે 18થી વધુ લૂંટ અને ચોરીના મામલે વોન્ટેડ હતો.
મુઝ્ઝફરનગરમાં જ પોલીસે એક અન્ય એક લાખના ઈનામી ગુનેગાર નઈમ કુરૈશીને પણ ઠાર કર્યો છે. નઈમ કુરૈશી 6 હત્યા અને 20 લૂંટના કેસમાં ફરાર હતો. એકબાજુ મુખ્યમંત્રી યોગીના ઓર્ડર પર ઓપરેશન ખલ્લાસ કર્યું, જેમાં 4 કુખ્યાત આરોપીને ઠાર કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ યુપી પોલીસે ઓપરેશન લંગડાને પણ અંજામ આપ્યો હતો. લખનૌમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને ગાઝિયાબાદમાં હત્યાના આરોપીના પગમાં ગોળી વાગી. શામલીમાં ગૌ તસ્કર સાથે અથડામણ થઈ અને ઝાંસીમાં ઈનામી ગુનેગારને ગોળી વાગી.
બુલંદશહેરમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર, બાગપતમાં લૂંટનો આરોપી પોલીસના હાથે ચઢ્યો. બલિયામાં ફરાર ગુનેગારને ગોળી વાગી, આગ્રામાં ચોરીના આરોપીનું એન્કાઉન્ટ, ઝાલૌનમાં લૂંટના આરોપી સાથે અથડામણ અને ઉન્નાવમાં હિસ્ટ્રીશીટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું.
8 વર્ષમાં 14973 એન્કાઉન્ટર
યુપીમાં પોલીસ ગુનેગારોનું સીધું એન્કાઉન્ટર કરી રહી છે. સરેરાશ, પોલીસ દરરોજ 5 થી વધુ એન્કાઉન્ટર કરી રહી છે અને છેલ્લા આઠ વર્ષથી ઉત્તર પ્રદેશમાં આ વલણ ચાલુ છે. આંકડા મુજબ, 2017થી ઉત્તર પ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં 239 ગુનેગારો ઠાર મારવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન, 9,467 ગુનેગારો ઈજાગ્રસ્ત થયા હતા અને એન્કાઉન્ટર પછી 30,694 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા આઠ વર્ષમાં, પોલીસ અને ગુનેગારો વચ્ચે 14,973 અથડામણ થઈ છે, જેમાં સૌથી વધુ આ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે.