Chhattisgarh તા.17
છતીસગઢના દંડકારણ્ય ક્ષેત્રમાં આજે 200 જેટલા નકસલીઓએ સુરક્ષા દળો સામે આત્મ સમર્પણ કરી મુખ્ય ધારામાં સામેલ થયા હતા. જેમાં 98 પુરૂષ અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. બધા 208 નકસલીઓએ 153 હથીયારો સાથે શરણાગતિ સ્વીકારી છે.
આ કારણે થયેલા નકસલીઓને સરકારની પુનર્વાસ યોજનાનો લાભ મળશે આ સાથે જ અબુઝમાદનો મોટો ભાગ નકસલી અસરથી મુકત થઈ જશે અને મોટી સંખ્યામાં નકસલીઓના સરેન્ડર બાદ માનવામાં આવે છે કે ઉતરી બસ્તરમાં ઘણી હદ સુધી લાલ આતંકનો અંત આવી જશે, હવે માત્ર દક્ષિણી બસ્તર જ બાકી છે.
આત્મ સમર્પણ દરમિયાન કુલ 153 હથીયારો પણ નકસલીઓએ અધિકારીઓને સોંપ્યા હતા. આ હથીયારોમાં 19 એક 47 રાઈફલ, 17 એસએલઆર રાઈફલ, 23 ઈસાસ રાઈફલ, 1 ઈન્સાસ એલએમજી, આ ઉપરાંત રાઈફલ, કાર્બાઈન, બીજીએલ લોન્ચર, બોર/સિંગલ શોટ ગન એ પિસ્તોલ સામેલ છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હવે અભિયાનનું આગામી ચરણ દક્ષિણ બસ્તર છે જેથી પુરૂ છતીસગઢ લાલ આતંકથી મુકત કરાશે. મુખ્યમંત્રી, વિષ્ણુ દેવ સામે કહ્યું હતું કે છત્તીસગઢ જ નહીં પૂરા દેશ માટે આજે ઐતિહાસીક દિવસ છે. આજે મોટી સંખ્યામાં નકસલીઓને આપણા બંધારણમાં વિશ્વાસ કરીને વિકાસની ધારામાં જોડાયા છે ત્યારે તેમનું સ્વાગત છે.