Morbiતા.29
સામાકાંઠે બૌદ્ધનગરમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે બૌદ્ધનગરમાં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ સોલંકી (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું બનાવની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મૃતકનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા તપાસ ચલાવી છે