મહુવાના ભાદ્રોડ ખાતે મઢી વિસ્તારમાં રહેતો મનુ સામતભાઈ બારૈયા, નીતિન મનુભાઈ બારૈયા અને રમેશ સામતભાઈ બારૈયા નામના શખ્સોએ ગત તા.૩-૬-૨૦૨૦ના રોજ અમર દેવંગી નિધિ લિ.-મહુવા પાસેથી ટર્મ બે-બે લાખ રૂપિયાનું લોન ધિરાણ મેળવ્યા બાદ ફાઈનાન્સ કંપનીની લેણી પડતી લોનની રકમના હપ્તા ભર્યા ન હતા. જેથી બાકી લોનની લેણી રકમની ઉઘરાણી કરતા ગત તા.૨૭-૧૦-૨૦૨૧ના રોજ મનુ બારૈયાએ રૂા.૨,૨૭,૯૦૦ અને અને રમેશ બારૈયાએ રૂા.૨,૨૭,૯૦૦ તેમજ નીતિન બારૈયાએ રૂા.૨,૨૬,૫૭૦નો એક્સીસ બેન્ક-મહુવા શાખાના ચેક આપ્યા હતા. જે ચેક બેન્કમાંથી પરત ફરતા ફાઈનાન્સ કંપની દ્વારા તેમના વકીલ મારફત મહુવાના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ અલગ-અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની ગઈકાલે ગુરૂવારે સુનવણી હાથ ધરાતા ન્યાયમૂર્તિ વી.એચ. તેરૈયાએ ત્રણેય શખ્સને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમ વળતર પેટે ચૂકવી આપવા અને જો રકમ ન ચૂકવે તો વધુ બે-બે માસ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
Trending
- સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા
- Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા
- Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
- Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
- Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
- Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
- Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
- Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી