Amreli ,તા.૯
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાગ્યે જ જોવા મળતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ૮ વર્ષના બાળકના આંખની પાપણમાંથી ૩૦ જેટલા જીવજંતુ અને ૩૫થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા છે. આ જટિલ ઓપરેશન સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં સફળતાપૂર્વક દોઢ કલાકમાં પાર પડાયું હતું.
સાવરકુંડલાની ૧૦૦% નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આંખના ઓપથાલમોલોજી વિભાગ સફળતા પૂર્વક શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગ દ્વારા ૮ વર્ષના બાળકની આંખમાં દર્દની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી. ડો. મૃગાંક પટેલે નિદાન કર્યું કે બાળકની પાપણમાં જીવજંતુઓ છે, જેને સામાન્ય ભાષામાં ‘માથાની જુ’ કહેવાય છે. ડૉક્ટર વર્ણવે છે કે વિના ઇન્જેક્શન માત્ર ટીપાથી જટિલ ઓપરેશન કરાયું, ૩૦ જેટલા જીવજંતુ અને ૩૫ ઈંડા કાઢવામાં આવ્યા હતા.
આ પ્રકારનો દુર્લભ કેસ અમરેલી જિલ્લામાં પહેલી વાર નોંધાયો છે. બાળકોમાં આવો રીઢો કેસ સામાન્ય ન ગણાય. ઓપરેશન બાદ બાળક તુરંત સારું અનુભવ તું હતું અને બીજી જ વખતે ચેકઅપમાં હસતું રમતું દૃશ્ય જોવા મળ્યું હતું. તબીબી જીવજંતુ આંખ માટે હાનિકારક હોય છે, લોહી ચૂસે છે, આંખને પણ નુકસાન કરે છે.
હોસ્પિટલ દરરોજ ૧૫૦૦થી વધુ દર્દીઓની સારવાર કરે છે અને દાતાઓના સહયોગથી દર મહિને ૮૫ લાખના ખર્ચે સેવા આપે છે. આવા દુર્લભ કેસ હોસ્પિટલની ક્ષમતા અને નિષ્ણાતોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એક બાળકની આંખમાંથી જીવીત જીવજંતુઓ કાઢવાનું આ જટિલ ઓપરેશન નોંધપાત્ર સિદ્ધિ છે અને સ્થાનિક આરોગ્યસેવાની ક્ષમતા ઉપર પણ પ્રકાશ પાડે છે.