Prime Minister Narendra Modi લોકોને ગભરાટ નહી સર્જવા અપીલ કરી
New Delhi,તા.17
પાટનગર Delhiમાં હજુ રેલવે સ્ટેશન પર ગત સપ્તાહે સર્જાયેલ દુર્ઘટનાના હીબકા શમ્યા નથી તે સમયે જ આજે પાટનગરમાં સવારે 4 ની તીવ્રતાના આવેલા Earthquakeમાં જે તિવ્રતાનો અનુભવ થયો તે પણ એક મહત્વની ચર્ચા બની ગયો છે.
ખુદ Prime Minister Narendra Modiએ પણ આ અંગે લોકોને ગભરાટ નહી સર્જવા અપીલ કરવી પડી તે પણ મહત્વનું બની ગયુ છે. Delhiના આ ભૂકંપના વિડીયો Social Mediaમાં મુકવા લાગ્યા છે અને લોકો વિશ્વાસ કરી શકતા નથી.
આ તિવ્ર આંચકો ફકત 4ની રીકટર સ્કેલનો હોઈ શકે છે. Delhi ઉપરાંત નેશનલ કેપીટલ રીજયોન તરીકે ઓળખાતા NCRમાં આજે સવારે આ આંચકો નોંધાયો હતો પણ લોકોને આ ભૂકંપનો ખૂબજ ભયાનક અનુભવ થયો છે અને આ ભૂકંપની તિવ્રતા તેના 4 ની જે હોવી જોઈએ તેનાથી વધુ અનુભવાઈ છે.
Delhiમાં જે ભયાનક તિવ્રતા અનુભવાઈ તેનુ એપી સેન્ટર Delhiમાં હતું તેથી તેની અસર વધુ જોવા મળી છે. આ Earthquake New Delhiમાં જીલપાર્ક એરીયાના દૌલાકુવા ક્ષેત્રમાં હતું અને અહેવાલ એમ પણ છે કે અહીના રહેવાસીઓએ ભૂકંપ સમયે જમીનમાં એક મોટો ધડાકો થયો હોય તેવો અવાજ પણ સાંભળ્યો હતો.
આ અંગે યુએસજીસી કવેક હેઝાર્ડ પ્રોગ્રામના અર્થઘટન મુજબ Earthquakeનું જયાં ભૂમિબિન્દુ હોય ત્યાં સુધી તિવ્રતા વધુ અનુભવવામાં આવે છે. કારણ કે earthquake ના ભૂમિબિન્દુમાં તેની સિસ્મીક એનર્જી (ભુગર્ભ તાકાત કે વાઈબ્રેશન) સૌથી વધુ બહાર આવે છે જેના કારણે ભૂકંપની તિવ્રતા ઓછી હોય તો પણ તેનો અનુભવ વધુ ઉંચા રિકટર સ્કેપ જેવો થાય છે.
આ ઉપરાંત સ્થાનિક જીયોલોજીકલ સ્થિતિ એટલે કે ભૂગર્ભમાં માટી કેવા પ્રકારની છે. ખડકોની સ્થિતિ શું છે તેના પર પણ ભૂકંપની તિવ્રતાની અસર નિશ્ચિત થાય છે.
Delhi-NCRમાં જે ભૂકંપની સ્થિતિ હતી તેનું એપી સેન્ટર જમીનના પાંચ કિલોમીટર ઉંડુ હતું. સામાન્ય રીતે દિલ્હીમાં જે ભૂકંપ નોંધાય છે તેનું ભૂમિ બિન્દુ ઉતર ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા ક્ષેત્રમાં હોય છે પણ દિલ્હીમાં સ્થાનિક એપી સેન્ટરએ ચોકકસપણે ચિંતા વધારે છે.
દિલ્હીમાં નાગરિકોએ જે રીતે આ ભૂકંપની તિવ્રતાનું રીએકશન આપ્યુ છે તે પણ જયારે એક અભ્યાસનો વિષય બની ગયો છે.