Morbi,તા.23
મોરબીમાં જગદગુરુ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટ્ય મહોત્સવ તા. ૨૪ ને ગુરુવારના રોજ શ્રી મહાપ્રભુજી બેઠક, સામાકાંઠે મોરબી ખાતે યોજાશે
મોરબીની શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે તા. ૨૪ ને ગુરુવારે પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ધાર્મિક મહોત્સવ ઉજવાશે જેમાં સવારે ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭ : ૩૦ કલાકે મંગલાના દર્શન, ૮ કલાકે શ્રુંગાર દર્શન, બપોરે ૧ કલાકે રાજભોગ દર્શન અને બપોરે ૩ કલાકે નંદ મહોત્સવ તેમજ તિલક દર્શન યોજાશે ઉપરાંત સવારે ૭ થી બપોરે ૧ કલાક સુધી અપરસમાં ઝારી ચરણસ્પર્શનો સમય રહેશે અને બપોરે ૩ થી સાંજે ૭ કલાક સુધી પ્રાગટ્ય દર્શન યોજાશે જે મહોત્સવનો સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મપ્રેમીઓએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે