Mehsana,તા.23
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દીવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરપુરા ગામમાં મહાદેવવાળા વાસ વિસ્તારમાં મકાનના પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.