જામજોધપુર અને સોનવાડિયા ગામે 11 જુગારી ઝબ્બે,1 લાખનો મુદ્દામાલ કબ્જે
Jamnagar,, તા.૩૧
જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં જુગારીઓની રંગત જામી છે. પોલીસે ઓધવરામનગર અને જામજોધપુરના સ્વામીનારાયણ મંદિર નજીક અને સોનવડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 19 શકુનીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હોઈ દરમિયાન ઓધવરામ નગરમા જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા દરોડો પાડી જુગાર રમતા દિપક દામજીભાઇ કટારમલ, આદિત્ય જયેશભાઇ ખાનિયા, રૂક્ષ્મણી મુળજીભાઈ ખીચડા, પાર્વતી લીલાધરભાઈ ભદ્રા, ભગવતી ધર્મેન્દ્ર હરવરા, કમળા જયંતભાઈ હરવરા,હંસા રાજેશભાઈ રાવલ અને કોમલ પ્રવીણભાઈ ગજરાની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ.18,090નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો જયારે જામજોધપુર સ્વામિનારાયણ મંદિર પાસે શેરીમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા કાયા ભોજાભાઈ મોવાણીયા, ગુલમામદ જમાલભાઈ રાવકરડા, ભરત વિસાભાઇ દાસા, ભાવિન મથુરાદાસ ઉદાસી, સુરેશ ગિરધરભાઈ ખાંટ અને રાજેશ રામજીભાઈ કાંજીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ. 71,500ના મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે સોનવડિયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભૂરા મેરામણ હુણ, કરશન મેરામણ રાડા,વિઠ્ઠલ પરમાણનભાઈ જોષી, નાથા કારાભાઇ રાડા અને સરમણ ચનાભાઇ રાડાની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ. 10,230નો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.