શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ વિજયવન સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે થયેલી હત્યાની કોશિશતા ગુના નો કેસ ચાલી જતા અદાલતે નામચીન શખ્સ સહિત 8 શખ્સોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ વિજયવન સોસાયટી શેરી નંબર 1માં રહેતા કેવલ શૈલેષભાઈ પીપળીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આદિલ હનીફ સોઢા, શાહરૂખ હનીફ સોઢા, મહંમદ સીદીક, રેશ્માબેન જાવેદ સોઢા,અફસાનાબેન સીદીક ,સબાનાબેન ઈકબાલભાઈ મિયાણા સામે હત્યાની કોશિશ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કેવલ પીપળીયા પોતાના ઘરે પ્રથમ મળ્યા હતા ત્યારે ઘરનો દરવાજો ચોરથી બંધ થવાનો અવાજ આવેલ અને કોઈ હથિયાર વડે માર મારી અને ગાળો બોલવાનો અવાજ આવતા ત્યારે ત્રણ મહિલાઓ ઘરમાં આવી કેવલભાઈ પીપળીયા ના ફઈબા માતા અને બહેન ને ગાળો આપી જેપાજપી કરી ધોકા, છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં કેવલ પીપળીયા ને સારવાર તે ખસેડવામાં આવ્યા હતા બાદ પોલીસ માં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તમામ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. એડી.સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવતા જેમાં બનાવ નજરે જોનાર સાહેદો, ઇજા પામનારની જુબાની, ફરિયાદીની જુબાની, વિવિધ પંચનામાં ના પંચો, તથા તપાસ કરનાર અધિકારી વિગેરે ની જુબાની નોંધ્યા બાદ બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ આરોપીના વકીલ ની દલીલો અને આરોપી તરફે ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાને લઈને જજે આદિલ હનીફભાઇ સોઢા, શાહરુખ હનીફભાઇ સોઢા, મહમદ સીદીકભાઇ ધડકાઈ, રેશમાબેન જાવેદભાઈ સોઢા, અદ્શાનાબેન સીદીકભાઇ ધડકાઈ અને શબાનાબેન ઉર્ફે ડાડણ ઈકબાલભાઈ મિયાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે. આરોપી આદિલ હનીફભાઇ સોઢા સામે ખુન, ખુનની કોશિશ, ગેરકાયદેસર હથિયાર રાખવા વિગેરે મળી 30 ગુન્હાઓમાં સંડોવાયેલો અગાઉ ખુન કેસમાં સજા થય હતી.બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ અને રહિમભાઈ હેરંજા રોકાયા હતા.
Trending
- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court