Talala,તા,02
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવળ ગામના આદિવાસી કન્યાશાળા પાસે આવેલ જમીનામાં ઢોર ચરાવા બાબતે થોડા સમય પહેલા થયેલ મારામારીમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ આરોપીઓ નાશી છૂટ્યા હતા જેની તપાસ ગીરસોમનાથ એલ.સી.બી. એ હાથ ધરી હતી અને ગઈ કાલે ટેક્નિકલ સોર્સ અને બાતમીદારના આધારે ચિત્રાવડ ગામેથી નાશી છૂટેલા ત્રણ આરોપીઓ જાન મામદ ઉર્ફે જાનુ ગુલ મામદ મકવાણા, મોહીન જાનમામદ મકવાણા અને ઉમેદ ઉર્ફે ઉમેર જાનમામદ મકવાણાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.