પરમાત્મા કે પિતૃગણો, આચાર્યો, કથાની પોથી-મંદિર કે આસ્થાનું વૃક્ષ પિપળો-તુલસી વગેરે તેમજ અગ્નિની ફરતે આપણે ફરીને પ્રદક્ષિણા કરીએ છીએ. તે આપણા જીવનનું મધ્યબિંદુ છે. આ દરેક આપણા જીવનના વિકાસનું મધ્યબિંદુ છે. તે સર્વે આપણા જીવનનાં કર્તાહર્તા છે. તેનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ઉપકાર છે. તેમની પ્રદક્ષિણા કરી તેમના ઋણનો નમ્રતા પૂર્વક સ્વીકાર કરીએ છીએ. તે આપણને હૂંફ આપે છે
यानि कानि च पापानि
जन्मान्तर कृतानि च ।
तानि सर्वानि नश्यन्तु
प्रदिक्षिणा पदे पदे ।।
”જીવનમાં મારાથી આ જન્મમાં કે અનેક જન્મોમાં થયેલા પાપો તે સર્વે પ્રદક્ષિણાનાં ડગલે ડગલે નાશ પામો” આં સૂત્ર પ્રદક્ષિણામાં ખાસ સમાયેલું છે.
પરમાત્મા કે પિતૃગણો, આચાર્યો, કથાની પોથી-મંદિર કે આસ્થાનું વૃક્ષ પિપળો-તુલસી વગેરે તેમજ અગ્નિની ફરતે આપણે ફરીને પ્રદક્ષિણા કરીએ છીએ. તે આપણા જીવનનું મધ્યબિંદુ છે. આના પાછળનો હેતુ સમજવા જેવો છે.
આ દરેક આપણા જીવનના વિકાસનું મધ્યબિંદુ છે. તે સર્વે આપણા જીવનનાં કર્તાહર્તા છે. તેનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ઉપકાર છે. તેમની પ્રદક્ષિણા કરી તેમના ઋણનો નમ્રતા પૂર્વક સ્વીકાર કરીએ છીએ. તે આપણને હૂંફ આપે છે. અને હિંમત પણ આપે છે.
સામાજીક રીતે જોઈએ તો આ સંસારમાં ત્રણ વ્યક્તિઓનો આપણા ઉપર મોટા ઉપકારો છે. તે છે માતા-પિતા અને ગુરુ તેને માટે માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ : અને આચાર્ય દેવો ભવ: આ વાતને ધ્યાનમાં રાખીને આપણે તેની પ્રદક્ષિણા કરીએ છીએ.
પૂજ્ય મોરારિબાપુએ ૮૨૧મી કથા વ્રજચોર્યાસી નામ સાથે ત્યાં કરેલી જેમાં પરિક્રમા-પ્રદક્ષિણા વિષે વિશદ્ ચર્ચાઓ કરેલી છે આ કથાનું શિર્ષક પણ ”માનસ-પરિક્રમા” આપેલું અને વ્રજમંડળ સમગ્રને યજમાન બનાવ્યું હતું.
‘પરિક્રમા’ એ એક બહુ જ મહિમાવંત શબ્દબ્રહ્મ તેમણે જણાવ્યો હતો. મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ અને પછી પ્રદક્ષિણા-પરિક્રમા કરીએ છીએ. પ્રદક્ષિણા હંમેશા દક્ષિણ ભાગથી જ શરૂ થાય છે. વામ ભાગ-ડાબી બાજુથી નહીં. દક્ષિણાનો અર્થ છે ગતિ દક્ષિણ ભાગથી ગતિશીલ થવાનો એક અર્થ છે ‘પ્રદક્ષિણા:ઋષિ મુનિઓએ આ નિયમ બનાવ્યો છે.’
પ્રદક્ષિણાથી કેન્દ્રસ્થાનમાં પ્રભુને રાખવાથી આપણાં વિચારો પ્રભુમય બને છે. શરીર અને મન એક લય બની પ્રભુમય બને છે તો તેમાં લીન થાય છે. કેટલાક લોકો એક કેટલાંક ત્રણ કેટલાંક સાત તો કેટલાક અગિયાર પ્રદક્ષિણા કરે છે.
તીર્થોમાં જે કંઈ યોગદાન આપીએ તો તે દક્ષિણા છે. પરંતુ તીર્થોમાં જવાથી આપણને જે કંઈ પૂણ્ય મળે છે. તેને સંતોએ પ્રદક્ષિણા પણ કહી છે.
આપણે તીર્થોની, મંદિરોની, સરોવરોની પરિક્રમા, પહાડોની, વનોની પરિક્રમા કરીએ છીએ, મૂર્તિની ગુરુજનોની પિતૃઓની લગ્ન વખતે અથવા તો કોઈ યજ્ઞા હોય તો યજ્ઞાકુંડની, વ્યાસપીઠની, પાદુકાની, બુદ્ધપુરુષની પણ પરીક્રમા કરીએ છીએ.
ચાલીએ છીએ તે રોજની પૃથ્વિની-શંભુની પ્રદક્ષિણા જ છે. શંકરાચાર્યજીએ એક સ્તોત્રમાં संचार पदयोः प्रदक्षिणविधि : કહે ને તેનું વર્ણન કરેલું છે તેજ શિવ માનસ પૂજામાં ગણાવેલ છે.
પ્રદક્ષિણાની સંખ્યા : ગ્રંથકારોએ એવું કહ્યું છે કે દુર્ગાની એક પરિક્રમા કરો, વધારે નહીં. ગણપતિની ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે. ભગવાન સૂર્યની સાત પરિક્રમાનું વિધાન છે ભગવાન વિષ્ણુની પણ ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે. માતા-પિતાની એકવાર પરિક્રમા કરવાનું વિધાન છે. શંકર-ના મંદિર અરધી પરિક્રમા કરીને ત્યાંથી પાછા ફરી જવાનું હોય છે. ગુરુને ગ્રંથની એક પરિક્રમા. તેમજ એકસો આઠ મણકાની માળા લઈને કરતા હોઈએ તો એ માળા એ નામની પરિક્રમા છે. ભગવાન ગણેશે મા-બાપ તેવા શંકર પાર્વતીજીની પ્રદક્ષિણા કરીને પૃથ્વિની પ્રદક્ષિણા પુરી કર્યાનું સિધ્ધ કર્યું હતું.
સૌની આસ્થા-શ્રદ્ધાની પરીક્રમા :- ભગવાન રામાનંદ અને રામાનંદી પરમ પાવની પરંપરાની પરિક્રમા છે. કામદગિરિ છે. શંકરાચાર્યજીની પરિક્રમા છે કેદાર કાંતો કૈલાસ કે સમગ્ર હિમાલય, મીરાંબાઈની પરિક્રમા છે. ‘મેરે તો ગિરિધર ગોપાલ…’ સમઢિયાળાની ગંગા સતીની પરિક્રમા છે. પાન બાઈ દરેક સાધુ જનો પ્રણામ કરવા તે તેનું ભજન છે. શબરીની પરિક્રમા છે મહર્ષિ મતંગ ઋષિ. તેના એક વચનની ચારે બાજુ એ ફરતી રહી કે હરિ આવશે. હરિ આવશે. તે તેની આસ્થાની પરિક્રમા હતી. હનુમાનજીની પરિક્રમા છે ‘રામ કથા’ જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી ઘૂમતા રહે છે. ભગવાન કૃષ્ણની પરિક્રમા છે. બરસાના. શ્રીકૃષ્ણના ભક્તોની-પરિક્રમા વ્રજ ચોરાસીની છે, આ ગુણાતીતની પરિક્રમા છે.
પ્રદક્ષિણાનો પ્રારંભ : એક વખત નારદ મુનિ-ભગવાન શિવ-પાર્વતીનાં દર્શન માટે પધાર્યા ત્યાં તેમણે એક કેરીનું ફળ પાર્વતીજીને અર્પણ કર્યું. જે બ્રહ્માએ આપેલું હતું. પાર્વતીજીએ કેરીનું ફળ હાથમાં લઈ વિચારવા લાગ્યા કે કાર્તિકજી અને ગણેશજી બન્ને પૂત્રોમાંથી આ ફળ કોને આપું ?? બન્ને પુત્રો પાર્વતીજી માટે પ્રિય હતા. આથી પાર્વતીજીએ એક પ્રતિયોગીતાની પરિક્ષા કરવાનું વિચાર્યું. અને કહ્યું કે જે બે માંથી કોઈ આ પૃથ્વિની પ્રદક્ષિણા કરી પહેલું પાછું ફરશે તેને આ ફળ આપવામાં આવશે. આ પ્રમાણે તે ફળને જીતવા માટેની દોડ શરૂ થઈ. ભગવાન કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસીને દોડ શરૂ કરી અને અને અખંડ-બ્રહ્માંડમાં ફરી વળ્યાં.. જ્યારે ભગવાન ગણેશ પોતાનું વાહન ઉંદર ઉપર બેસી શંકર-પાર્વતીની ફરતે ફરીને પ્રદક્ષિણા પુરી કરી. ભગવાન ગણેશજીએ કૈલાસ પર્વત છોડયા વિના પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી પોતાના માતા-પિતાની ફરતે ફરી આમ ત્રણ ફેરા પૂરા કરી ને કહ્યું કે આપની પ્રદક્ષિણા તે સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા ગણાય છે. આ વચનથી માતા પાર્વતી અને પિતા શંકરજી પ્રસન્ન થયા. અને તેને તે ફળ આપી દીધું. જ્યારે કાર્તિકેય દુનિયાની પ્રદક્ષિણા કરીને આવીને ગણેશજીનાં હાથમાં ફળ જોઈ ચોંકી ઉઠયા અને સમજી ગયા કે માતા-પિતાનાં ચરણોમાં જ દુનિયા છે… જે સિધ્ધ થયું.
પ્રદક્ષિણાનો અર્થ છે :- પ્ર+દક્ષિણા…. પ્ર એટલે આગળ વધો. દક્ષિણાનો અર્થ છે.. દક્ષિણ દિશા અર્થાત્ દક્ષિણ દિશામાં આગળ વધવું તે પ્રદક્ષિણા છે. આપણું આસ્થાનું કેન્દ્ર પ્રભુ માતા-પિતા ગુરુ. આપણ પુરુષો મંદિર વગેરે છે. તેના ઉપર શ્રદ્ધા રાખી પ્રણામ કરી તેને કેન્દ્રમાં રાખી દક્ષિણ દિશાની તેની પ્રદક્ષિણા કરવી તે એક ધાર્મિક ક્રિયા છે. प्रगति दक्षिणमति- प्रदक्षिणा… પ્રદક્ષિણા કરવાથી પાપોનો નાશ થાય છે. બુદ્ધિશ્રધ્ધામય બને છે.
* શિવજીની અડધી પરિક્રમા શા માટે??
अर्दूध सोम सूत्रांत मित्यथः
शिव प्रदक्षिणी कुर्वन् सोमसूत्र न लंधयेत ।।
શિવજીનાં લિંગને શિવસૂત્ર પણ કહેવાય છે. તેમાં વચ્ચેથી નિકળતી જળધારા જે બહાર નિકળે છે તે શિવસૂત્ર ને ઉલ્લંઘ કરવુ નહિ તેવું શાસ્ત્ર વચન છે તેનું ઉલ્લંઘન કરવાથી દોષ લાગે છે ભગવાન શિવલિંગ ને ચઢાવેલું જળ શિવસૂત્ર જ્યાંથી બહાર નીકળે છે તેનું ઉલ્લંઘન કરવાની શાસ્ત્રોએ ના કહી છે. તે ઉલ્લંઘન કરવાથી શરીર તથા મન ઉપર ખરાબ અસરો પડે છે એટલે શિવજીની અર્ધચંદ્રાકાર પ્રદક્ષિણા કરવાનો આદેશ છે.
આથી શિવલિંગની પરિક્રમા અર્ધ ચંદ્રાકાર રૂપે જ કરાય છે. શિવલિંગ ઉપરથી પડતી જલધારા ને ઉલંઘાતી નથી શિવલિંગ-શિવ અને પાર્વતીજીનું સંયોજન સ્વરૂપ મનાય છે. શિવજીની મૂર્તિની પૂરી પરિક્રમા કરી શકાય પણ તેના શિવલિંગની ધારાની અડધી પરિક્રમા કરી પાછા ફરી ને ત્યાં ફરી પાછા આવીને પરિક્રમા પૂરી કરાય છે. શિવજીને ચઢાવેલ દૂધ-બિલિપત્ર-પાણીને શિવનિર્માલ્ય કહેવાય છે. તેનું ઉલ્લંઘન કરવા માટે શિવજીનાં લિંગની અડધી પરિક્રમા કરવામાં આવે છે. શિવલિંગમાંથી નિકળતું દૂધ કે પાણીને જલધારી કેસોમસૂત્ર કહેવાય છે શિવલિંગમાં રહેલી ઉર્જાને જલધારીમાં સતત પ્રવાહિત થઈને બહાર નીકળે છે તેનુ ઉલ્લંઘન કરાતું નથી આથી શિવલિંગની અડધી જ પરિક્રમા કરાય છે. શિવલીંગની ઉપરના ભાગને શિવજીનો અને નીચેના ભાગને દેવી પાર્વતિનો હિસ્સો મનાય છે. (લિંગપુરાણ) શિવજીનાં લિંગની અડધી પરિક્રમા કરવાથી પુરી પરિક્રમાનું ફળ મળે છે. સ્વયં શિવજી નિરાકાર છે. લિંગ તેનુ પ્રતિક મનાય છે. તે જ્યોતિરૂપ છે.
પ્રદક્ષિણા-પરિક્રમાનું ફળ :-
धन्य धन्य हो प्रदक्षिणा ।। પ્રદક્ષિણા કરવાથી પગલે પગલે પાપોનો નાશ થાય છે. અને પુણ્યનો ઉદ્ધાર થાય છે. માનવ જીવનનું ઋણ ચૂકવાય છે. આપણે સહું જીંદગી ભર ચાલીને પ્રદક્ષિણા જ કરીએ છીએ. संचारपदयोः प्रदक्षिता ।। આપણું જીવન પરમાત્માની પ્રદક્ષિણામાં વ્યસ્ત રહે તેવી પ્રાર્થના.ળ