Jasdan તા. 29
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધિ જસદણની શ્રીનાથજીની હવેલીમાં દિવાળીના દિવસે ગુરુવારે હટડીના દર્શન તથા શુક્રવારે અન્નકૂટના દર્શન યોજાશે.શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ તારીખ 31-10-2024 ગુરુવારે દિવાળીના દિવસે રાત્રે 8 થી 9 હટડીના દર્શન યોજાશે. આ ખાસ દર્શન માત્ર દિવાળીને દિવસે વર્ષમાં એક જ વખત યોજાય છે.
આ ઉપરાંત તારીખ 1-11-2024 ને શુક્રવારે બપોરે 12 થી 1 નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટના દર્શન યોજાશે. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી અન્નકૂટના દર્શન દરમિયાન ઠાકોરજીની આરતી ઉતારશે. આ ઉપરાંત ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી રોજ સવારે 8 થી 9 તહેવાર નિમિત્તે મંગળાના ખાસ વિશેષ દર્શન પણ યોજાશે. હટડીના દર્શન તથા અન્નકૂટના દર્શન સહિતના વિવિધ દર્શનનો લાભ લેવા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે અનુરોધ કર્યો છે.