Gondal,તા.29
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ટોલનાકા નજીક વહેલી સવારે સ્લીપ થયેલા બાઇક પર થી ફંગોળાયેલા મહીલા નાં માથા પર પાછળથી ધસમસતી આવી રહેલી લકઝરી બસ નાં વ્હિલ ફરી વળતા મહીલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે મહીલા નાં પતિ ઇજાગ્રસ્ત બન્યાં હતા.બનાવ નાં પગલે તાલુકા પોલીસ દોડી આવી હતી.અને ઇજાગ્રસ્ત ને ગોંડલ સારવાર માં ખસેડી મહીલાનાં મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નાં આંબેડકર નગર માં રહેતાં પ્રવિણભાઈ કાળાભાઇ રાઠોડ ઉ.45 તથા તેના પત્નિ રસીલાબેન ઉ.40 વહેલી સવારે બાઇક પર જેતપુર ખરખરા નાં કામે જઈ રહ્યા હતા.ટોલનાકા નજીક રામદેવ હોટલ સામે આગળ જઇ રહેલી રીક્ષા ચાલકે અચાનક કાવો મારતા બાઇક સ્લીપ થતા બાઇક પર બેઠેલા પ્રવિણભાઈ તથા તેમનાં પત્નિ રોડ પર ફંગોળાયા હતા.
આ જ સમયે રાજકોટ તરફ થી ઉપલેટા જઇ રહેલી એઆર 01ઙ 1100 નંબર ની પુરપાટ વેગે ધસી આવેલી તીર્થ ટ્રાવેલ્સ ઉપલેટા ની લકઝરી બસ નાં તોતિંગ વ્હીલ રસીલાબેન નાં માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે પ્રવિણભાઈ ને સામાન્ય ઇજા પંહોચી હતી.નજર સામે પત્નિ નું મોત નિપજ્યું હોય પ્રવિણભાઈ હતપ્રત બન્યાં હતા.
બનાવ નાં પગલે તાલુકા પોલીસ નાં જીતુભાઇ વાળા ઘટના સ્થળે દોડી આવી રસીલાબેન નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ માટે અને ઇજાગ્રસ્ત પ્રવિણભાઈ ને સારવાર માં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રવિણભાઈ કડીયાકામ કરેછે.સંતાન માં બે દિકરીઓ અને એક દિકરો હોવાનું જાણવાં મળેલ હતું.દિવાળી પર્વ પુર્વે દંપતિ અકસ્માત ની ઘટના માં ખંડિત થતા પરીવાર શોકમગ્ન બન્યો હતો.