કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે.એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી માતા તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી-સદાચારી બનાવે છે.મહાકાળી માતાનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચારો-દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મહાકાળી માતા તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે. ધનતેરસ પછીનાં દિવસને કાળીચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે.જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે તેવી માન્યતા છે.સાંજે ગૃહિણીઓ વડા અને પુરી ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે તથા હનુમાનજીના મંદિરે તેલ ચઢાવે છે.
કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર શક્તિથી શૈતાન બન્યો હતો.પોતાની શક્તિથી તે બધાને રંજાડતો હતો.નરકાસુર સૌદર્યનો એવો શિકારી હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખી હતી.સ્ત્રી ઉદ્ધારણનું આ કાર્ય હોવાથી સત્યભામાએ નરકાસુરનો નાશ કરવાનું બીડું ઝડપ્યું હતું.ભગવાન શ્રીકૃષ્ણ મદદમાં રહીને નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં અમારો કોઈ સ્વીકાર નહીં કરે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓના રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા વગેરે અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાના છે.૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ,સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ,રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.