આસો વદ ચૌદશને ગુરૂવારે તા 31ના દિવસે દિવાળી છે બપોરે 3.53 સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ તીથી છે નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ દિવસે દિવાળી છે ખાસ કરીને દિવાળીમાં સાંજના પ્રદોષકાળનું તથા રાત્રિના નિશીથ કાળ નુ મહત્વ હોય છે જે ગુરૂવારે છે આથી ગુરુવારે દિવાળી શુભ છે.
દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ
(1) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો.
(2) શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા.
(3) ઉજજૈનના સમ્રાટ વિક્રમાદિત્યએ સુરાજય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી.
(4) શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો .
(5) પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો . દિવાળીનો . આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે.
પુરાણમાં મહત્વ આપણા પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથો મા જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે .
ચોપડા પૂજનનું મહત્વ : મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે . દિવાળીના ચોપડા પૂજનમાં ક્લમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડા ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજનમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ. લાભ સવાયા બોલવા મા આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય.
અષ્ટ લક્ષ્મીનાં નામ : 1. ઓમ શ્રી લક્ષ્મયૈ નમ: 2. ઓમ વિદ્યા લક્ષ્મી નમ: 3. ઓમ સોભાગ્ય લક્ષ્મી નમ: 4, ઓમ અમૃત લક્ષ્મી નમ: 5. ઓમ કામ લક્ષ્મી નમ: 6. ઓમ સત્ય લક્ષ્મી નમ: 7. ઓમ ભોગ લક્ષ્મી નમ: 8, ઓમ યોગ લક્ષ્મી નમ:
► દીપાવલીના શુભ મુહૂર્તની યાદી
ગુરૂવારે સાંજના શુભ 4.45 થી 6.10
ગુરૂવારે રાત્રિના અમૃત 6.10 થી 7.45
ચલ 7.45 થી
રાત્રે લાભ 12.31 થી 2.06
મોડી રાત્રે શુભ 3.42 થી 5.10
સાંજે પ્રદોષ કાળનો શુભ સમય 6.10 થી 8.42
મધ્ય રાત્રીએ નિશીથ કાળ 12.05 થી 12.56