Jasdan તા.29
જસદણના શ્રી બાલાજી ધામ ખાતે સનાતન ધર્મના પ્રતિક એવા ભગવાન શિવજીના 153 ફૂટ ઊંચા વિશ્ર્વના સૌથી મોટા ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી હતી.
જસદણના વિંછીયા રોડ ઉપર જસદણ થી 6 કી.મી દૂર ડુંગરની ગીરીમાળાઓની વચ્ચે બાલાજી ધામ ખાતે વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટની ઊંચાઈ ધરાવતા ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા) ના હસ્તે ત્રિશૂલની સ્થાપના અને પૂજનવિધિ કરવામાં આવી હતી.