New Delhi,તા.08
સુપ્રીમકોર્ટે એક સમયની દેશની ટોચની વિમાની કંપની જેટ એરવેઝને ફડચામાં લઈ જવા આદેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટે આ અંગે અગાઉ નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ દ્વારા આ બંધ એરલાઈન જલાન કાલઓકને વેચી દેવા માટે જે મંજુરી આપીને આદેશ રદ કરી જેટ એરવેઝની મિલ્કતો વેચીને તેનું તમામ દેવુ ભરપાઈ કરવા આદેશ આપ્યો હતો.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા અને અન્ય લેણદારોએ આ અરજી કરી હતી. જેટ એરવેઝ ખરીદવાની ઓફર કરનાર કંપની નિશ્ર્ચિત સમયમાં પ્રથમ હપ્તો પણ જમા કરાવવામાં નિષ્ફળ નિવડી હતી. ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે જેટએરવેઝ ખરીદવા પોષ્ટ કરનાર કંપનીની રૂા.150 કરોડની બેન્ક ગેરેન્ટી પણ જપ્ત કરવા આદેશ આપ્યો હતો.