Morbi તા.૧૯
રવાપર નદી ગામે સ્મશાન પાસે ૩૦ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ રવાપર નદી ગામે રહેતા વિજય રામજીભાઈ બોરીચા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૧૮ ના રોજ સાંજના સુમારે ગામના સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે