Morbi,તા.25
શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ચંદ્રપુર ભાટિયા સોસાયટીના રહેવાસી નામલબેન પ્રભુભાઈ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધાને તા. ૨૧ ના રોજ પોતાના ઘરે શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે