New Delhi, તા.17
લોકસભા ચૂંટણીમાં પરિણામોમાં પછડાટ બાદ ભાજપે જે રીતે તેના સંગઠનને ફરી દોડતું કરીને મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી જીત્યા બાદ હવે સંગઠન નવરચના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને તેમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં ફરી એક વખત વિલંબ થાય તેવી શક્યતા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે રાજ્યમાં સંગઠન નવરચનાની પ્રક્રિયાને ગતિ આપી છે અને નવા રાષ્ટ્રીય પ્રમુખ ફેબ્રુઆરીમાં જાહેર થાય તેવી શક્યતા છે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યોમાં સંગઠન નવરચના પ્રક્રિયા તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહી છે અને 50 ટકા જેટલા રાજ્યો જાન્યુઆરી મધ્યસ્થ સુધીમાં નવા પ્રદેશ સંગઠન મેળવી લેશે.
તેથી રાષ્ટ્રીય પ્રમુખ માટે નિયુક્તિનો માર્ગ ખુલ્લી જશે. 60 જેટલા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની મુદ્ત પુરી થઇ છે અને તેના રીપ્લેશમેન્ટની પ્રક્રિયા ચાલુ છે જે આગામી માસના મધ્યસ્થ સુધીમાં પુરી કરી દેવાશે.
એક વખત 50 ટકાથી વધુ રાજ્યમાં નવું સંગઠન માળખુ રચાય જાય પછી ભાજપના બંધારણ મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ કરી શકાય. શ્રી નડ્ડાના કાર્યકાળ આ વર્ષના જુલાઇ સુધી લંબાયો હતો પરંતુ ત્યારબાદ ચૂંટણીઓનો સમય હોવાથી નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં વિલંબ થયો છે.