Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»પેટને પજવતા ગેસના ઉપાયો છે Your Kitchen
    હેલ્થ

    પેટને પજવતા ગેસના ઉપાયો છે Your Kitchen

    Vikram RavalBy Vikram RavalDecember 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પેટમાં ગેસ (વાયુ) થવો એ એક કોમન પ્રોબ્લેમ છે જે કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે છે. સામાન્યપણે ખાવાપીવામાં અને પાચનમાં ગરબડ થવાથી ગેસ થાય છે. કાર્બોહાઇડ્રેટસ, ફાઇબર, ખાંડ અને સ્ટાર્ચનું સારું એવું પ્રમાણ ધરાવતી વાનગીઓ ખાવાથી પેટમાં ગેસ પેદા થતો હોય છે. વાછુટ વાટે ગેસ નીકળી જાય તો વ્યક્તિ નોર્મલ રહે છે અને એના રોજિંદા કામકાજમાં કોઈ ખલેલ નથી પડતી, પરંતુ ગેસ નીકળવાને બદલે પાચનતંત્રમાં ભરાઈ જાય ત્યારે મુશ્કેલી ઊભી કરે છે. એને કારણે પેડુમાં સખત દુખાવો ઉપડે છે.

    અલબત્ત, પેટમાં ગેસ થવાના બીજા પણ કેટલાંક કારણો છે. સરખું ચાવ્યા વિના ખોરાક ઝડપથી ગળવાથી, કાર્બોનેટેડ ઠંડા પીણાં, આંતરડાની બિમારીઓ, માનસિક ચિંતા અને અમુક પદાર્થ ન પચવાથી પણ ગેસની તકલીફ થઈ શકે છે. જો કે ડાયટમાં નાના અમથા ફેરફાર કરીને પણ ગેસથી છુટકારો મેળવી શકાય છે. ગેસના ઈલાજ માટે દર વખતે ડૉક્ટર પાસે દોડી જવાની કોઈ જરૂર નથી. ગેસનો ઈલાજ મોટાભાગે કિચનમાં જ હાજર હોય છે. ઘરના વડીલો દેશી નુસખા જાણે છે એટલે એમની સલાહ લેવામાં શાણપણ છે. ગેસના ઉપચાર માટેની વસ્તુઓ પર એક નજર કરીએ :

    ૧. દહીં : આયુર્વેદમાં દહીંને અમૃતની ઉપમા અપાઈ છે કારણ કે એ પ્રાબાયોટિક ફ્રૂડ છે. એમાં આંતરડાંને મદદરૂપ થતા બેકટિરીયા હોય છે. ભોજનમાં નિયમિતપણે દહીં લઈને તમે પાચનની તમામ મુશ્કેલીઓને દૂર રાખી શકો. એ ખોરાકના યોગ્ય પાચનમાં મદદરૂપ થતું હોવાથી પેટમાં ગેસ પણ નથી થતો. દહીં સીધેસીધુ ખાઈ શકાય અથવા એમાં થોડું પાણી ઉમેરી મીઠુ અને જીરું પાણીને પણ લઈ શકાય. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી. ફ્લેવરવાળું કે સેકરીન જેવું ગળપણ મેળવેલું દહીં કદી ન ખાવું.

    ૨. છાસ : દહીંમાંથી બનતી છાસ પણ પાચન સુધારવામાં મદદ કરે છે અને પેટમાં ગેસ ભેગો નથી થવા દેતી. એ બહુ જ હળવો અને અસરકારક પ્રવાહી ખોરાક છે, જે પેટમાં જમા થયેલી ચરબીનો નિકાલ કરી દે છે. એને લીધે પેટ ભારે નથી લાગતું.

    છાસને થોડી હિંગ અને મીઠું નાખીને પીવાથી એ સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાચનમાં પણ વધુ અસરકારક પુરવાર થાય છે.

    ૩. આદુ : ચામાં આદુ નાખીને પીવા પાછળનું પ્રયોજન પેટમાં ગેસ થતો રોકવાનું છે. શાક અને દાળમાં પણ આદુ આ કારણસર જ નખાય છે. શિયાળામાં આદુના રસમાં મધ નાખીને પીવાથી પણ સ્વસ્થ્ય સારું રહે છે.

    ૪. અજમો : અજમો પેટમાંથી ગેસ છુટો કરવા માટેનું ઉત્તમ દેશી ઓસડ ગણાય છે. ઘરમાં બાળક પેટમાં દુખાવાની ફરિયાદ કરે એટલે દાદીમા તરત એને અજમાના દાણામાં થોડું મીઠુ ભેળવી ચાવવા આપી દે અને ગણતરીની મિનિટોમં ગેસથી પેટમાં થતો દુખાવો શમી જાય.

    ૫. જીરુ : એ જ રીતે જીરુ પણ પેટમાં ગેસના ભરાવા, પિત્ત અને અપચાનો ઉત્તમ ઈલાજ છે. ભારતમાં ભોજનની લગભગ દરેક વાનગીમાં વપરાતું જીરું લાળ ઉત્પન્ન કરતી ગ્રંર્થિઓને ઉત્તેજિત કરે છે. એને પગલે ખોરાકનું પાચન વધુ સારી રીતે થાય છે અને પેટમાં વાયુ નથી થતો.

    પાણીમાં એક ચમચી જીરુ નાખી એને ઉકાળો પછી પાણીમાંથી જીરાના દાણા ગાળી લઈ એ ઠંડુ થયા બાદ પી જવું. થોડી જ વારમાં તમારો ગેસ ગાયબ થઈ જશે.

    ૬. એલો વીરા જ્યૂસ : આ અદ્ભુત જ્યુસમાં દાહશામક અને રેચક ગુણધર્મો હોવાથી એ પેટમાંથી ગેસ છુટો કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. પાચન બગડવાથી પેટ ફુલેલુ અને ભારે લાગતું હોય તો એમાંથી પણ એલો વીરાનો જ્યૂસ છુટકારો આપે છે.

    ૭. લીંબુનો રસ અને બેકિંગ સોડા : આ કોમ્બિનેશન પેટના ગેસની એક બેસ્ટ ટ્રિટમેન્ટ છે. બેકિંગ (ખાવાના) સોડા પેટના એસિડને નિષ્ક્રિય કરી દઈ અપચા અને પેટના ભરાવાનો ઈલાજ કરે છે. બીજી તરફ, લીંબુનો રસ અને બેકિંગ સોડા છાતીમાં બળતરાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે.

    પેટમાં વારંવાર ગેસ થવાની કોઈને ફરિયાદ રહેતી હોય તો રોજ જમ્યા પછી નવસેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી સોડા નાખીને પીવાનો નિયમ રાખવો.

    ૮. આમળા : આમળાનો રસ પણ કોઈ પ્રકારની આડઅસર વિનાની પેટના ગેસને મહાત આપવાનો ઉત્તમ ઉપાય બની રહે છે. આમળા ખાવાથી શરીરમાંથી ઝેરી કીટાણુઓ બહાર ફેંકાઈ જાય છે. ઉપરાંત એનું સેવન પાચનક્રિયાનું વ્યવસ્થિતિ નિયમન કરી કબજિયાત પણ દૂર કરવામાં સહાયક બને છે.

    આમળાનો રસ કાઢી એને થોડું પાણી ઉમેરી આછો બનાવો. રોજ સવારે ભૂખ્યા પેટે એ જ્યૂસ પીવાનું રાખો.

    ૯. વરિયાળી : ભારતીય પરિવારોમાં જમ્યા પછી મુખવાસ પણ અકારણ નથી ખવાતા. મુખવાસરૂપે ખવાતી વરિયાળી પણ અતિ ગુણકારી છે. વરિયાળીમાં એવા કમ્પાઉન્ડ્સ છે જે પાચનતંત્રના માર્ગને રિલેક્સ આપી ભોજનના પાચનને સહેલું બનાવી પેટમાં ગેસ ઉત્પન્ન થવાની શક્યતા સાવ ઘટાડી દે છે. વરિયાળી ગેસ ભેગો થવાથી પેટમાં પડતી આંટીમાંથી છુટકારો અપાવવાનું પણ કામ કરે છે. સામાન્યપણે વરિયાળી જમ્યા પછી મુખવાસમાં લેવાય છે, પરંતુ અમુક જણાં પાણીમાં એક ચમચી વરિયાળી નાખી એને ગરમા કરી ઉકાળારૂપે પીએ છે. એ વધુ રાહત આપે છે.

    GES
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.