Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન
    • Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત
    • CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું
    • Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ
    • Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો
    • જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh
    • Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત
    • Rajkot ની નામાંકિત ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»બાહ્ય happiness શોધનારને શાંતિ મળતી નથી
    ધાર્મિક

    બાહ્ય happiness શોધનારને શાંતિ મળતી નથી

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહાભારતના દ્રોણપર્વમાં  બાહ્યસુખની કામના કરનાર રાજા સૃંજયની કથા આવે છે. તેને એક પુત્રી હતી. પણ તે પુત્રીથી સંતુષ્ઠ નહોતો. તેને પુત્રની ખ્વાહિશ હતી. તે માનતો કે પુત્ર હોય તો રાજગાદી સંભાળી વૃધ્ધાવસ્થામાં તેને સુખ સુવિધા અને આરામ આપે. સામાન્ય રીતે તેની વાત સાચી પણ હતી. તેણે પુત્ર સુખ માટે વેદજ્ઞા બ્રાહ્મણોની સેવા શરૂ કરી. રાજાની સેવા, દાન અને સન્માનથી સંતુષ્ટ થઈ બ્રાહ્મણોએ દેવર્ષિ નારદને રાજાની ઈચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી. નારદજી રાજા સૃંજયના અતિથિ બન્યા. હવે રાજાને મનગમતું ભરચક સુખ મેળવી લેવાનો લોભ જાગ્યો. બ્રાહ્મણોની વિનંતિથી નારદજીએ પૂછયું ”રાજન, તમારે કેવો પુત્ર જોઈએ છે ?” રાજાની આંખો ચમકી ગઈ. બધું જ માંગી લેવાનો સમય હતો. તેણે કહ્યું, ”દેવર્ષિ, મારે એવો પુત્ર જોઈએ છે જે અતિ સુંદર હોય, તંદુરસ્ત હોય, ગુણવાન હોય…” રાજાને બોલતાં વચ્ચેથી અટકાવી નારદજીએ કહ્યું – ”બસ ! બીજું કંઈ જોઈએ છે ?” રાજાએ કહ્યું – ”દેવર્ષિ, એ બધું તો ઠીક !! મારે એવો પુત્ર જોઈએ છે જેનું થૂંક, કફ, મળ-મૂત્ર પણ સોનાના હોય !!” દેવર્ષિએ રાજાની આંખોમાં બાહ્યસુખનાં સાપોલિયાં રમતાં જોયાં. દેવર્ષિ નારદ ‘એવમસ્તુ’ કહી વિદાય થયા. પુત્રનો જન્મ થયો. તેનું નામ સુવર્ણષ્ઠીવી પાડયું. હવે રાજાના વૈભવનો પાર ન હોતો. રાજભવનની બધી વસ્તુઓ-વાસણો, ઝુમ્મર, ગાલીચા, આસન, સિંહાસન, મોભ, ઈસો-બધ્ધું સોનાનું થઈ ગયું. સુવર્ણષ્ઠીવીના આ સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા. દસ્યુઓને (ચોર-લૂંટારા) આ વાતની જાણ થઈ. એક દિવસ તેઓ સુવર્ણષ્ઠીવીનું અપહરણ કરી ગયા. જંગલમાં તેને રાખ્યો. સોનાના ભાગ પાડવામાં દસ્યુઓમાં વાદ-વિવાદ થયો. ઝઘડો વધી ગયો. રાજકુમારને વધુ સમય જીવતો રાખવો જોખમ હતું. તેમણે રાજકુમારને મારીને તેના ટુકડા કરી નાખ્યા. મુર્ખ દસ્યુઓને રત્તીભાર સોનું ના મળ્યું. અતિ સુખ-સુવિધાની શોધમાં રહેતા રાજા સૃંજયને છેવટે પુત્ર-શોક સહન કરવો પડયો. આવું માઠું પરિણામ જોયા પછી તેને ભાન થયું કે સુખની શોધ પાછળ જીવન વેડફવાથી શાંતિ મળતી નથી.

    આવી જ કથા શ્રીમદ્ભાગવતના નવમા સ્કંધમાં રાજા યયતિની છે.  તે ઘરડો થયો પણ તેની કામ વાસના શાંત ના થઈ. શુક્રાચાર્યએ કહ્યું ”જે પોતાની મરજીથી ખુશ થઈને પોતાની યુવાની તને આપશે તેના બદલે તું તારી વૃધ્ધાવસ્થા બદલી શકશે.” એના પુત્રએ પોતાની યુવાની આપી. અનેક વર્ષો થયાં પણ યયાતિની વાસના તૃપ્ત ના થઈ. છેવટે તેણે કહ્યું – ”ન જાતુ કામ : કામાનામુપભોગે સમ્પતિ (૯.૧૯.૧૪) વિષયોને ભોગવવાથી કામવાસના ક્યારેય શાંત થતી નથી.”

    રાજા સૃંજયને સુખ સુવિધા અને આરામ માટે લૌકિક સુખ જોઈતું હતું. યયાતિને જીવનભર દૈહિક સુખ જોઈતું હતું. આપણે પણ યેન કેન પ્રકારેણ સુખ જ શોધ્યા કરીએ છીએ હા, સુખ ગમે છે. સુખ આહ્લાદક લાગે છે. જીવ-ને સ્થિરતા આપે છે, ચેન આપે છે. સુખની પળો વાગોળવી ગમે છે. બસ, ત્યાં સુધી બરાબર છે. સુખની પાછળ પડવું ખોટું છે. દિવસ-રાત તેની શોધમાં ઊંઘ ઊડાડવી ખોટું છે જે છે તેને માણવાનો પણ સમય ના મળે અને સુખ પાછળ દોડયા કરી એ એ ખોટું છે. આપણે ઈન્દ્રિયો દ્વારા અનુભવાતા સુખને જ સાચું સુખ સમજીએ છીએ, જે સુખ આપણે મેળવીએ છીએ એ મેળવતી વખતે જેટલું આહલાદક લાગે છે એવું એની પછીની ક્ષણે લાગતું નથી. ભૂખ લાગી હોય ત્યારે ભોજન સ્વાદિષ્ટ લાગે છે. એક એક કોળિયો ભરતાં મન રોમાંચ અનુભવે છે. જો આપણા સુખનું કારણ સ્વાદિષ્ટ ભોજન હોય તો જેમ જેમ ખાતાં જઈએ તેમ તેમ સુખ વધવું જોઈએ. પણ એવું થતું નથી. જો ખા ખા કરીએ તો એ જ ભોજન અકારૃં લાગે છે. પીડારૂપ લાગે છે, અને જો ભોજન લેવાનું બંધ જ ના કરીએ તો મૃત્યુ પણ આવી શકે છે. આ સાવ સાદું રહસ્ય આપણને સમજાઈ જવું જોઈએ. એના માટે શાસ્ત્રજ્ઞાાન, તર્કશક્તિ કે તપની જરૂર નથી. શાંત ભાવે ઈન્દ્રિયોની દાનતનું અવલોકન કરવાની જરૂર છે. સાચી વાત એ છે કે વસ્તુના અભાવથી થતું દુ:ખ એ વસ્તુ મળ્યા પછી પણ દૂર થતું નથી. કારણ કે હજુ સુધી આપણને સાચા સુખની ખબર જ નથી.

    સામાન્ય માણસ જેની ફક્ત કલ્પના જ કરી શકે એવું અમાપ સુખ મહાવીર અને બુધ્ધના જીવનમાં હતું. છતાં તેઓ રાજમહેલ અને પરિવાર છોડીને નીકળી પડયા હતા. તે સુખ નહિ શાંતિની શોધમાં હતા. તેમનામાં સત્યની જિજ્ઞાાસા જાગી હતી તેમને લાગતું હતું કે બધી જ અનુકુળતા હોવા છતાં જે જીવન જીવાઈ રહ્યું હતું તે અર્થહીન અને પ્રયોજનહીન હતું. અમેરિકાના કરોડપતિ (ખર્વનિખર્વપતિ) જ્હોન જેકલ એસ્ટરે છેલ્લા દિવસોમાં કહ્યું હતું. ‘સુખની શોધ કરતાં કરતાં જીવન પતવા આવ્યું. પણ શાંતિ મળી નહિ. મને લાગે છે હું આટલી મોટી મિલકતના વહીવટદાર તરીકે મજૂરી જ કરી રહ્યો છું.’

    સુખ શોધનારનું મન એશો-આરામના ખજાનામાં છુપાયેલું રહે છે જ્યારે શાંતિ શોધકનું મન સુખ-દુ:ખમાંથી ખંસી જવામાં રોકાયેલું છે. સુખની શોધકરનાર ઈન્દ્રિયોની એકવાર ઓળખ થઈ જાય, તેમનાં મલિન ઈરાદાની જાણ થઈ જાય તો તેમની ઈચ્છાનું અધિકારપણું વધતું અટકી જાય છે.

    જેને તરસ લાગે તે પરબ શોધે એ સમજાય તેવી વાત છે. પણ પાણી પીને ધરાયેલો માણસ માથે બે બેડાં ઊંચકીને દિવસ-રાત ફર્યા કરે તો તેને શાંતિ ક્યાંથી મળે ?

    happiness
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Deepotsav પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે

    October 2, 2025
    લેખ

    દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

    October 2, 2025
    લેખ

    Ravana શાસ્ત્રોનો વિદ્વાન હતો, અને તેના ૧૦ માથા તેની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હતા

    October 1, 2025
    લેખ

    Navratri ના નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ

    September 30, 2025
    ધાર્મિક

    કરવા ચોથનો ચંદ્ર આ વર્ષે શરૂઆતમાં દેખાશે

    September 30, 2025
    ધાર્મિક

    દુઃખ અને ગરીબી દૂર કરવા માટે Dussehra પર વસ્તુઓનું દાન કરો

    September 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025

    Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ

    October 2, 2025

    Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો

    October 2, 2025

    જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh

    October 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.