Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Lord Shri Krishna and Shri Radhikaji ને હિંડોળે ઝૂલાવવાનો મહોત્સવ
    ધાર્મિક

    Lord Shri Krishna and Shri Radhikaji ને હિંડોળે ઝૂલાવવાનો મહોત્સવ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હિંડોરે માઈ ઝૂલત લાલ બિહારી !

    સંગ ઝૂલતિ વૃષભાનું નંદિની પ્રાનનિ હૂ તેં પ્યારી ।।

    નીલામ્બર પીતામ્બર કી છબી ધનદામિની અનુહારી ।

    બલિ-બલિ જાઉં જુગલચંદ પર કૃષ્ણદાસ બલિહારી ।।

    પોતાના પ્રાણોથી પણ પ્યારી વૃષભાનું નંદિની રાધા સાથે શ્રીકૃષ્ણ હિંડાળા (ઝૂલા) પર ઝૂલી રહ્યા છે. વાયુના વેગથી ફરફર ઊડતું- લહેરાતું શ્રી રાધાનું નીલામ્બર (ભૂરા રંગનું વસ્ત્ર) અને શ્રીકૃષ્ણનું પીતામ્બર (પીળા રંગનું વસ્ત્ર) એવું લાગી રહ્યું છે કે જાણે નીલા આકાશમાં વીજળી ચમકતી ના હોય ?

    વ્રજ પ્રેમની ભૂમિ છે. વ્રજમાં સર્વત્ર પ્રેમ અને આનંદ રસ વહે છે. અહીં રાધા-કૃષ્ણનો વિલાસ- વિહાર થતો જોવા મળે છે. વ્રજભૂમિમાં શ્રાવણ માસનું આગમન થાય છે ત્યારે આકાશમાં શ્યામ ઘટા ઘેરાવા લાગે છે. વાદળ ઝૂકી ઝૂકીને પૃથ્વીને મળવા આતુર થઈ જાય છે. વીજળી ચમકવા લાગે છે. રિમઝિમ વરસતી વરસાદની ધારા શરીરને આહ્લાદિત કરવા લાગે છે. યમુના તીવ્ર વેગથી વહેવા લાગે છે. વૃક્ષની વેલીઓ હરી ભરી અને પુષ્ટ થઈને વૃક્ષોને લપેટાઈને ઝૂલવા લાગે છે. મોર મનભરીને નૃત્ય કરવા લાગે છે. બપૈયા પીઉ, પીઉ કરીને એમની પ્રિયતમાને પોકારવા લાગે છે, કોયલ મીઠો કુહૂરવ કરવા લાગે છે. સરોવરમાં હંસ ક્રીડા કરવા લાગે છે. ધરતી પર હરિયાળી છવાઈ જાય છે. આવા આહ્લાદક વાતાવરણમાં શ્રીકૃષ્ણને હિંડોળે ઝૂલવાનું મન થઈ જાય છે. તે રાધાને નિમંત્રણ આપે છે. ‘ઝૂલન ચલો હિંડોરના વૃષભાનંર નંદિની । સાવનકી તીજ આઈ, નભ ઘોર ઘટા છાઈ । મેઘન ઝરી લગાઈ, પરૈં બૂંદ મંદિની ।। સુંદર કદંબ કી ડારી, ઝૂલા પરયો હૈ પ્યારી । દેખૌ કુમર કિશોરી સબ દુ:ખ નિકંદિની ।।

    પરંતુ કિશોરી રાધિકા રિસાયેલ છે, માનભાવ ધારણ કરીને બેઠેલી છે. શ્રીકૃષ્ણ એમને અનુનય, વિનય કરી માન છોડી હિંડોળે ઝૂલવા આવવાનો અનુરોધ કરે છે.

    ‘પ્યારી ઝૂલન પધારૌ ઝૂકી આયે બદરા।

    ઓઢો સુરખ ચૂનરી, તાપૈ શ્યામ ચદરા । સાજૌ સક્લ સિંગાર નૈન ધારો કજરા ।। ઐસા માન નહીં કીજૈ હઠ તજિયે અલી । તૂ તો પરમ સયાની હો વૃષભાનું કી લલી ।।

    રાધાજી માન્યા નહીં. એટલે શ્રીકૃષ્ણ એકલા વનમાં જઈને કદંબના વૃક્ષ નીચે ઊભા રહી વેણુ વગાડવા લાગ્યા. વેણુના રાધાજીની અષ્ટસખીઓ લલિતા, વિશાખા, ચિત્રા, ઇન્દુલેખા, સુદેવી, ચંપકલતા, રંગદેવી અને તુંગવિદ્યા) ત્યાં આવી પહોંચી. તેમણે જોયું કે શ્રીકૃષ્ણ એકલા જ વેણુ વગાડી રહ્યા છે. એમની બાજુમાં રાધાજી નથી. સખીઓનું કામ તો પ્રિય-પ્રિયતમા-શ્યામ – શ્યામાને સુખ આપવાનું છે. તે તરત વૃષભાનું ભવને પહોંચી ગઈ. રાધાજીને મનાવી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવી પોતાની સાથે વનમાં લઈ આવી.

    અષ્ટસખીઓએ રિમઝિમ વરસતા વરસાદમાં યમુનાતટ પાસે કુંજમાં એક સુંદર અલૌકિક હિંડોળો બનાવ્યો. સખીઓના પ્રેમભાવથી શ્રીરાધાકૃષ્ણ તે ઝૂલા પર બિરાજમાન થઈ ગયા. ઢોલ, મૃદંગની થાપ પર મેઘ-મલ્હાર ગાતી સખીઓ રાધા-કૃષ્ણને ઝુલાવવા લાગી- ‘હંસિ-હંસિ ઝૂલત ફૂલ હિંડોરે । પ્યારી-પ્રીતમ ફૂલનિ ફૂલે ૩૨ કર જોરે ।’ પછી રાધાજી કૃષ્ણને ઝૂલાવવા લાગ્યા અને એ રીતે શ્રીકૃષ્ણે રાધાજીને પણ ઝૂલાવ્યા. એ પછી રાધા-કૃષ્ણ ફરી હિંડોળા પર સાથે સાથે બેસી પ્રેમ અને આનંદથી આપ્લાવિત થઈ ઝૂલવા લાગ્યા. સખીઓ એમને ઉત્સાહ-ઉમંગથી ઝુલાવવા લાગી.

    તે સમયે શ્રીરાધાજીના મનમાં વિચાર ઉદ્ભવ્યો. આ સખીઓ હમેશાં અમારા બન્નેના સુખનો વિચાર કરે છે અને તેનો પ્રબંધ પણ કરે છે. હિંડોળે ઝુલવાનું મને અત્યારે જે સુખ મળ્યું તે તેમને જ કારણે છે. આ સુખ તેમને પણ મળે તેવું મારે કરવું જોઈએ. શ્રી રાધા પ્રેમરૂપી કલ્પવૃક્ષ છે અને તેમની સખીઓ તે વૃક્ષના પુષ્પો છે. તેમના મનની ઇચ્છા પણ રાધાજીએ પૂરી કરી. તે સ્વયં શ્રીકૃષ્ણની બાજુએથી નીચે ઉતરી ગયા અને દરેક સખીઓને વારાફરતી શ્રીકૃષ્ણની બાજુમાં બેસાડી હિંડોળે ઝૂલાવવા લાગ્યા. પરમ સુખના સાગર સમા પરબ્રહ્મ શ્રીકૃષ્ણને અડકીને એમનો સ્પર્શ થાય તે રીતે તેમની બાજુમાં બેસીને હિંડાળે ઝૂલવાનું પરમ સૌભાગ્ય તે તમામ અષ્ટ સખીઓને પ્રાપ્ત થયું. આ હિંડોળા મહોત્સવની સ્મૃતિમાં દર વર્ષે વૈષ્ણવ મંદિરોમાં, પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં અષાઢ વદ એકમ અથવા બીજથી હિંડોળા ઉત્સવ ઉજવાય છે. જે શ્રાવણ વદ બીજ સુધી ચાલે છે. હિંડોળાના મનોરથ વખતે ભગવાનના સ્વરૂપને હિંડોળે બિરાજમાન કરાવી, તેને ઝૂલાવી અષ્ટસખાના હિંડોળાના પદોનું ગાન કરી કીર્તન કરાય છે. આ ઉત્સવ દરમિયાન રોજ અલગ અલગ રીતે સુંદર શણગારથી સજાવી તૈયાર કરાતા હિંડોળા ભક્તોને ભગવાનની સમધુર લીલાનું સંસ્મરણ કરાવી ભક્તિરસમાં તન્મય કરી ભગવત્સ્વરૂપનું અનુસંધાન કરાવે છે.

    Lord Shri Krishna and Shri Radhikaji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    લેખ

    માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ

    November 3, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    લેખ

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025
    ધાર્મિક

    Yoga કર્મસુ કૌશલમ્..કર્મોમાં સમત્વરૂપ યોગ એ જ કુશળતા છે

    October 30, 2025
    ધાર્મિક

    જેનું મન સમતામાં સ્થિર છે તેને જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે

    October 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.