Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
    • શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
    • ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
    • Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
    • Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
    • અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
    • Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
    • સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Indian Organ Donation Day : ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની રાહ
    ગુજરાત

    Indian Organ Donation Day : ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની રાહ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.03

    રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. અલબત્ત, હાલ કિડનીમાં 1865 અને લીવરના 344 દર્દી અંગદાનની રાહમાં છે.

    છેલ્લ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 170 અંગદાન

    વર્ષ 2019થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022થી જુલાઈ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે. વર્ષ 2019ની સરખામણીમાં ગત વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128% અને અંગોના દાનમાં 176% નો વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યમાં કુલ 99 ઓર્ગન રીટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે. જેના પરિણામે જ આજે જિલ્લા સ્તર સુધી અંગદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે.

    દર વર્ષે 3 ઑગસ્ટે ભારતીય અંગદાન દિવસની ઉજવણી 

    દર વર્ષે 3 ઑગસ્ટની ઉજવણી ભારતીય અંગદાન દિવસ તરીકે કરવામાં આવે છે. આ નિમિત્તે આવતીકાલે દિલ્હી ખાતે ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવા બદલ આઇકેડીઆરસીના ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, સુરત સિવિલ હૉસ્પિટલના ડૉ. કેતન નાયકનું ‘નોટ્ટો’ દ્વારા સન્માન કરાશે.

    છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1654 અંગોનું દાન મળ્યું

    છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. જેમાં 908 કિડની, 468 લીવર, 117 હૃદય, 114 ફેફસાં, 14 સ્વાદુપિંડ, 9 નાના આંતરડાં અને 24 હાથનો સમાવેશ થાય છે. જો કે, કેડેવર ડોનેશનમાં હજુ જાગૃતિ વધે તો લાઇવ ડોનર પર મદાર રાખવાનું પ્રમાણ ઘટી શકે એમ છે.

    કેડેવર ડોનેશનમાં હજુ જાગૃતિ જરૂરી 

    હાલ રાજ્યમાં કિડની માટે 1865, લીવર 344, હૃદય 19, ફેફસાં માટે 27 અને સ્વાદુપિંડ માટે 9 વેઇટિંગ છે. વર્ષ 2022 પ્રમાણે કેડેવર અંગદાનને મામલે તેલંગાણા 194 સાથે મોખરે, તામિલનાડુ 156 સાથે બીજા, કર્ણાટક 151 સાથે ત્રીજા, ગુજરાત 148 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 105 સાથે પાંચમાં સ્થાને છે.

    કુલ ટ્રાન્સપ્લાન્ટમાં 50 ટકાથી વઘુમાં માત્ર કિડની 

    કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં દેશમાં થયેલા કુલ 12259 ટ્રાન્સપ્લાન્ટમાંથી 9105માં કિડની, 2847માં લીવરનો જ્યારે 2022માં થયેલા 16041 ટ્રાન્સપ્લાન્ટમાંથી 11705માં કિડની, 3920માં લીવરનો સમાવેશ થયો હતો.

    સિવિલમાં અંગદાનથી 495ને નવજીવન

    અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020માં સૌપ્રથમ અંગદાન થયું હતું. અત્યાર સુધી 158 બ્રેઇનડેડ અંગદાતા પાસેથી મળેલા કુલ 622 અંગોથી 495 વ્યક્તિને નવજીવન મળ્યું છે. મળેલા અંગોમાં 138 લીવર, 282 કિડની, 9 સ્વાદુપિંડ, 48 હૃદય, 6 હાથ, 26 ફેફસાં, 2 નાના આંતરડાં, 3 ત્વચા અને 108 આંખનો સમાવેશ થાય છે.

    ગુજરાતમાંથી અંગદાતા
    વર્ષઅંગદાતા
    2018314
    2019710
    2020381
    2021670
    2022827
    cadaver-donations GUJARAT Organ-Donation Organ-Donation-Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : જુના ગણેશનગરમાં બીમારીથી કંટાળી યુવાન નો આપઘાત

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યા હતા

    November 5, 2025
    મોરબી

    Morbi : રાજપર પાસે છકડો રીક્ષા-ઇકો કાર વચ્ચે અકસ્માત

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025

    Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે

    November 5, 2025

    અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.