Prayagraj,તા.13
જુના અખાડામાં હાલમાં જ સન્યાસ માટે સામેલ થયેલ 13 વર્ષની છોકરીને તેના ઘેર મોકલી દેવામાં આવી છે. છોકરીને સન્યાસ અપાવનાર મહંત કૌશલગિરીને 7 વર્ષ માટે અખાડામાંથી બહાર કાઢવાની સજા સંભળાવવામાં આવી છે. જુના અખાડાનાં આંતર રાષ્ટ્રીય પ્રવકતા શ્રીહંત નારાયણગિરીએ જણાવ્યું હતું કે, છોકરી સગીર હતી
જુના અખાડામાં તેના પ્રવેશ નિયમની વિરૂદ્ધ હતો આ કારણે એક મિટિંગમાં સર્વ સંમતીથી બાળકીને અખાડામાં અસ્વીકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.શ્રીમહંત નારાયણગિરીએ જણાવ્યું હતું કે બાળકીને તેના માતા-પિતાને સન્માન સાથે મોકલી દેવામાં આવી છે.
અખાડાનાં નિયમ મુજબ 25 વર્ષની વય પુરી કરી ચુકેલી યુવતીઓને જ અખાડામાં પ્રવેશ આપવામાં આવે છે. જો કોઈ માતા-પિતા નાની વયના બાળકને જુના અખાડામાં પ્રવેશ આપે છે તો તેને અખાડામાં પ્રવેશ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે જુના અખાડામાં સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સંરક્ષક મહંત હરિગીરી સભાપતિ શ્રીમહંત પ્રેમગિરી સહિત અખાડાના પ્રમુખ શ્રીમહંત પ્રેમગિરી સહીત સામેલ થયા હતા.
ગુરૂની સેવા માટે આવી હતી છોકરી:
મહાકુંભમાં ગુરૂની સેવામાં પોતાના માતા-પિતા સાથે આવેલી 13 વર્ષની છોકરીના મનમાં અચાનક વૈરાગ્ય જાગ્યો હતો અને તેણે માતા-પિતાને સાધ્વી બનવાની ઈચ્છા વ્યકત કરી હતી. માતા-પિતાએ દીકરીની ઈચ્છાને પ્રભુની ઈચ્છા માનીને તેને જુના અખાડાને સોંપી દીધી.
મહંત કૌશલીગિરિએ તેને નવુ નામ ગૌરીગિરી આપ્યું હતું.છોકરીની માએ જણાવ્યું હતું કે મહંત કૌશલગિરી તેમના ગામમાં ભાગવત કથા સંભળાવવા આવે છે તેમણે દીકરીને દીક્ષા આપી હતી.