Girgadhda તા ૧૯
વેરાવળ બુક સેલર તથા સ્ટેશનરી વેપારીઓ દ્વારા કલેકટર સહીતનાને લેખીત રજૂઆત કરી શાળાઓમાં સરકારી પુસ્તકો, ખાનગી પ્રકાશનના પુસ્તકો, નોટબુક, સ્કુલ બેગ નું વેચાણ બંધ કરાવવા તથા કોઈ પણ એક સ્ટોરમાંથી જ ખરીદી કરવાની ફરજ પાડે છે તે પ્રથા બંધ કરાવવાની માંગ કરેલ છે.
આ અંગે બુક સેલર તથા સ્ટેશનરી વેપારીઓ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં આવેલી ગુજરાત બોર્ડ તથા સીબીએસઇ બોર્ડની ખાનગી પ્રાથમીક, માધ્યમીક તથા ઉચ્ચતર માધ્યમીક શાળાના વિધાર્થીઓને પુસ્તક, નોટબુક, સ્કુલબેગ, વગેરે વસ્તુઓની શાળાની અંદર થી સંચાલક ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે અને અમુક શાળાઓ ફકત એક જ દુકાનદારને ત્યાંથી જ ખરીદી કરવાનું ફરજ પાડે છે અને અમુક ખાનગી શાળાઓ ખાનગી પ્રકાશનની પુસ્તકો અંદરથી વેચાણ કરે અને સરકારી પુસ્કતો બહારથી ખરીદવા મજબુર કરે છે. રાઈટ ટુ એજયુકેશન એક્ટ ૨૦૦૯ મુજબ કોઈ પણ વિધાર્થીને એક જ સ્ટોર માંથી ખરીદી કરવાની ફરજ પાડી શકાય નહી તથા શાળામાંથી વેંચાણ કરી શકાય નહી છતા પણ વેરાવળ તાલુકામાં મોટા ભાગની શાળાઓ નીયમનો ભંગ કરી માત્ર એક જ સ્ટોરમાંથી ખરીદી કરવાની ફરજ પાડે છે. આ બાબતે રાજયના તમામ જીલ્લાના તથા દરેક તાલુકાના વિધાર્થી તથા તેમના વાલીના હિતમાં અને વેપારીના ધંધા રોજગાર ને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા થતી આ પ્રવૃતિ પુસ્તક, નોટબુક, વગેરે નું ફરજીયતા વેચાણ તથા એક જ વેપારી પાસેથી ખરીદીનું દબાણ કરી રહ્યા છે તે પ્રથા બંધ કરાવવા તાકીદે પગલા લેવાની માંગ કરેલ હોવાનું એક યાદીમાં જણાવી આ રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલીક અરસથી અમલ કરવા કરી પ્રજાને ન્યાય આપવા જણાવેલ છે.