Keshod , તા. ર0
આગામી ચાર દિવસ માટે કેશોદ એરપોર્ટ પરથી મુંબઈ અમદાવાદ વચ્ચેની હવાઇ સેવા બંધ રહેશે કારણ કે જહાજનું એન્જિન અમદાવાદ ખાતે ખરાબ થતાં હાલ આ સેવા આગામી 23/3 સુધી બંધ રખાય છે.
કેશોદ એરપોર્ટ પર ની વિમાની સેવા હજુ પણ ચાર દિવસ બંધ રહેશે વિમાનનું એન્જિન અમદાવાદ ખાતે ખરાબ થવાથી આ એર સેવા આગામી 23/3 સુધી બંધ રાખવામાં આવી તેમ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લેનનું એન્જિન રિપેર થઈ જશે એટલે ફરી રાબેતા મુજબ આ સેવા શરૂ થઈ જશે તેમ અંતમાં જણાવ્યું હતું તો બીજી તરફ કેશોદ એરપોર્ટ પર ની વિમાની સેવા આ પહેલા પણ તાજેતરમાં કેનશલ થઈ હતી અને કોઈ ટેકનીકલ કારણને લઇને સેવા ખોરવાઈ હતી અને એર પ્લેનના મુસાફરો રઝળી પડયા હતા.