Amreli,.તા.26
મુળ દાહોદ પંથકના વતની અને હાલ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૦ વર્ષની બાળકી ઉપર સવા ત્રણ વર્ષ પહેલાં એક નરાધમે બળાત્કાર તથા સ્રુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી બાળકીના પિતા અચાનક જ ઝૂંપડે આવી જતાં આરોપી મોં સંતાડી ભાગી ગયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલને માન્ય રાખી સ્પે. કોર્ટના જજ દ્વારા આરોપીને જીવનના અંત સુધીની કારાવાસ તથા રૂપિયા ૬૧ હજાર દંડની સજાનો હુકમ કરેલ છે. જ્યારે ભોગબનનાર બાળકીને રૂપિયા ૪ લાખ વળતર ચુકવવા આદેશ કર્યા હતો.
આ બનવાની હકીકત એવા પ્રકારની છે, ગત તા. ૨૪-૧૨-૨૧ના રોજ બપોરે ૧૨થી ૨-૩૦ દરમિયાન મુળ દાહોદ પંથકના વતની અને હાલ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૦ વર્ષની બાળકીના માતા પિતા મજુરી કામે ગયા હતા. ત્યારે આ બાળકી સ્કૂલેથી રિસેસમાં પોતાના ઝૂંપડે આવેલ હતી. ત્યારે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે રહેતા આરોપી મગન બાવચંદભાઈ સીધપરા નામના નરાધમે ગુન્હો કરવાના ઇરાદે ભોગબનનારના દંગા ઝુપડામાં પ્રવેશ કરી આ કામની ભોગબનનાર બાળકી અનુ.જનજાતી હોવાનું જાણવા છતા આરોપીએ બાળકીની એકલતાનો લાભ લઇ, બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધનું ક્રુત્ય કરવાના ઈરાદે ભોગ ગબનનારને ગાલ ઉપર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી, ભોગબનનારને મુખ મૈથુન કરાવી અને બાદમાં ભોગબનનારને પલંગ ઉપર ઉંધી સુવડાવી, જાતીય તથા ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે જે તે સમયે ભોગ બનનાર બાળકીના પિતાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીના એડી.સેશન્સ કોર્ટ તથા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં તપાસનિશ અધિકારી પી.બી.લક્કડ તથા નાયબ પોલીસ અધિક્ષક SC/ST સેલના એ.જી.ગોહિલની તપાસના આધારે તથા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલને કોર્ટ દ્વારા માન્ય રાખી સ્પે. પોકસો કોર્ટના સ્પે. કોર્ટના જજ ડી.એસ. શ્રીવાસ્તવ દ્વારા આરોપી મગન બાવચંદભાઈ સીધપરાને
આઇ.પી.સી. કલમ ૩૭૬ (એ)(બી), ૩૭૬ તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩-૨(૫ અ), ૩-૧(W),(૧), ૩-૧(W),(૨), ૩,૨,૫ તથા પોકસો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૦ તથા ૧૨ના ગુન્હામાં કસુરવાર ઠરાવી જીવનના અંતીમ સ્વાસ સુધીના કારાવાસ તથા રૂપિયા ૬૧ હજાર દંડની સજાનો હુકમ કરેલ છે. જ્યારે ભોગબનનાર બાળકીને રૂપિયા ૪ લાખ વળતર ચુકવવા આદેશ કર્યા હતો.