ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

