બનાવની વિગત આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે,પંચમહાલ જીલ્લાના શિંગપુર ખાતે રહેતો યુવાન મેહુલભાઈ બુધાભાઇ તડવી (ઉ.વ.૨૦) બોટાદ તાલુકાના લાખીયાણી ગામમાં ભાગવી વાડી રાખી મજૂરી કામ કરતો હતો.થોડા દિવસ પહેલા મેહુલભાઈ પોતાના વતનમાં જતો રહ્યો હતો. બાદમાં, પરત લાખીયાણી ગામે મિત્રોને મળવા માટે આવ્યો હતો. દરમિયાનમાં મેહુલભાઈને રાકેશ પ્રવીણભાઈ ભીલ નામના શખ્સ સાથે અગાઉ મનદુખ થયું હતું. જેની દાઝ રાખી ગત મોડી રાત્રીના સમયે મોકો જોઈ હુમલાખોર રાકેશે લખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી મેહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને તેની હત્યા નિપજાવી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યારાએ યુવાનના મોંઢા અને માથાના ભાગને પથ્થર વડે છૂંદી નાંખી હત્યામાં ક્રૂરતાની હદ વટાવી દિધી હતી. જો કે, બનાવની જાણ થતાં જ બોટાદ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અને મૃતકના બેન દીપિકાબેનની ફરિયાદના આધારે બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવીણભાઈ ભીલ વિરૂદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરાર હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બનાવને લઈ નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

