Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Zubin Garg પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ

    September 23, 2025

    Rani Mukerji એ મર્દાની થ્રી માટે માંડ માંડ સલામત તારીખ શોધી

    September 23, 2025

    Ram Charan સાથે હિરોઈનના રોલ માટે Kriti Sanon ને ઓફર

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Zubin Garg પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ
    • Rani Mukerji એ મર્દાની થ્રી માટે માંડ માંડ સલામત તારીખ શોધી
    • Ram Charan સાથે હિરોઈનના રોલ માટે Kriti Sanon ને ઓફર
    • સ્ટન્ટ કરતી વખતે માથું ભટકાતાં Tom Holland હોસ્પિટલમાં
    • Saif Ali Khan અને અક્ષય કુમારની હૈવાનમાં મોહનલાલનો કેમિયો
    • ‘Kantara Chapter 1’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને કર્યું લોન્ચ
    • Aryan ની સીરિઝમાં કેમિયો કરી ફસાયો રણબીર કપૂર! FIRની માંગ,ચેતવણી વિના ઈ-સિગારેટ પીવાનો આરોપ
    • રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં Jacqueline ની દલીલ ફેઇલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Shri Somnath Sanskrit University ખાતે સોમેશ્વર કુમાર છાત્રાવાસ
    સૌરાષ્ટ્ર

    Shri Somnath Sanskrit University ખાતે સોમેશ્વર કુમાર છાત્રાવાસ

    Vikram RavalBy Vikram RavalApril 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Girsomnath,તા.૧૯

    શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો.શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે.

    આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે. તેની સામે આપણી પાસે સંસ્કૃતિના જ્ઞાતાઓના વટવૃક્ષો છે, ત્યારે તેમનો લાભ લઈને આ સંસ્કૃતિમાં આરોપિત થયેલાં જ્ઞાનને આધારે સમાજને પ્રકાશિત કરવાની જરૂર છે.

    શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ. રાજ્ય સરકાર આ માટેની તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.સામાન્ય રીતે અંગ્રેજી બોલતો વ્યક્તિ આપણને વિદ્વાન લાગે, પરંતુ એક સમય આપણે એવો લાવવો છે કે, જ્યારે સંસ્કૃત બોલનાર વ્યક્તિ સામે સામેની વ્યક્તિ અહોભાવથી જૂએ તેવા સમાજનું આપણે નિર્માણ કરવું છે.

    સંસ્કૃતના પુનઃ જાગરણની નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃતને માહિતી આધારિત નહીં, પરંતુ જ્ઞાનસભર અને સમાજ ઉપયોગી બનાવવું છે.સોમનાથ ખાતે સને ૧૯૫૧-૫૨ માં સોમનાથ ટ્રસ્ટની રચના સાથે આ જ ક્ષેત્રમાં સંસ્કૃતના પ્રચાર-પ્રચારનું કેન્દ્ર બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.તેને વાસ્તવમાં સાકાર કરતા વર્ષ ૨૦૦૫-૦૬ માં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી રહેતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બનાવીને આ સંકલ્પને સાકાર કર્યો હતો.

    સંસ્કૃત અને સંસ્કૃતિ એક લીટીમાં વણાયેલું છે, સંસ્કૃતને ફક્ત જ્ઞાન આધારિત નહીં, પરંતુ તેના આધારે અર્થોપાર્જન કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ આપણે આગળ વધવું છે.મંત્રીએ પુષ્પક વિમાનની વાત તેમજ નાસા દ્વારા ગ્રહો-નક્ષત્રોને આધારે ભગવાન શ્રી રામના જન્મદિવસ તેમજ ભૂતકાળનો સમય નક્કી કરતા હોય તેવાં સમયે આપણી પાસે આ બધું જ્ઞાન વર્ષોથી આપણા સંસ્કૃત સાહિત્યમાં ધરબાયેલું પડેલું છે. કેવળ તેને ફંફોશીને સમાજ ઉપયોગી બનાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.

    સંસ્કૃતની મહત્વના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જર્મનીમાં પણ સંસ્કૃત વંચાય છે. ૨૦૦ જેટલી કોલેજોમાં સંસ્કૃત વિભાગ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિ ભાષાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિએ સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીએ આટલા વર્ષોમાં મેળવી સિદ્ધિઓની વાત કરી હતી. યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડૉ. લલિતકુમાર પટેલે આભાર વિધિ કરી હતી.

    Girsomnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Upleta મેખાટીંબી ગામમાં ટેલિફોન એક્સચેન્જમાંથી રૂ.1.91 લાખની મત્તાની ચોરી

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali રાષ્ટ્રધ્વજનું અપમાન: લારી ધારકે ધ્વજથી ફ્રુટને સાફ કર્યા: વિડિયો વાયરલ

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Kotdasangani: કાલંભડી ગામે જૂની અદાવતમાં ભત્રીજાએ કાકી પર પાવડા વડે હુમલો કર્યા

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: શ્રીનાથધામ હવેલીમાં મહાદાન મનોરથ સંપન્ન

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Savarkundla નું ઘજડી ગામ પ્રગતિશીલ અને આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું

    September 23, 2025
    સૌરાષ્ટ્ર

    Jafrabad-Junagadh રૂટની એસ.ટી.બસને બંદર ચોક બસ સ્ટેન્ડ સુધી લંબાવવા માંગ

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Zubin Garg પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ

    September 23, 2025

    Rani Mukerji એ મર્દાની થ્રી માટે માંડ માંડ સલામત તારીખ શોધી

    September 23, 2025

    Ram Charan સાથે હિરોઈનના રોલ માટે Kriti Sanon ને ઓફર

    September 23, 2025

    સ્ટન્ટ કરતી વખતે માથું ભટકાતાં Tom Holland હોસ્પિટલમાં

    September 23, 2025

    Saif Ali Khan અને અક્ષય કુમારની હૈવાનમાં મોહનલાલનો કેમિયો

    September 23, 2025

    ‘Kantara Chapter 1’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને કર્યું લોન્ચ

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Zubin Garg પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ

    September 23, 2025

    Rani Mukerji એ મર્દાની થ્રી માટે માંડ માંડ સલામત તારીખ શોધી

    September 23, 2025

    Ram Charan સાથે હિરોઈનના રોલ માટે Kriti Sanon ને ઓફર

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.