ભાવનગર પશ્ચિમના ધારાસભ્યએ જણાવ્યું કે, ભાવનગર જન્મોત્સવ સમિતિના નેજા તળે છેલ્લાં નવ વર્ષથી ભાવનગર શહેરની સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી થાય છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે સતત ૧૦માં વર્ષે સમિતિ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ એપ્રિલ એમ સતત બે દિવસ સુધી શહેરના બોરતળાવ-કૈલાશવાટિકા ખાતે ભાવનગર કાર્નિવલ શિર્ષક તળે ભાવનગરના ૩૦૩માં જન્મદિવસની અનોખી અને રંગારંગ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતત બે દિવસ સુધી શહેરને નવોઢાની જેમ શણગારવાની સાથે બન્ને દિવસ જાહેર જનતા અને નગરજનો માટે કૈલાસવાટિકા ખાતે નિઃશુલ્ક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના હતા. પરંતુ, જમ્મુ- કશ્મીરના પહલગામમાં ગત મંગળાવરના રોજ થયેલાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા છે જેના શોકમાં આ વર્ષે પણ આ ઉજવણી મુલ્તવી રાખવામાં આવી છે. માત્ર અખાત્રિજના દિવસે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી સાદગીસભર ઉજવણી કરવામાં આવશે. તેમણે અંતમાં હતભાગી પરિવારને સાંત્વના પાઠવવા આને દુઃખની ઘડીમાં સમગ્ર ભાવનગર પરિવાર સાથે હોવાના સંદેશ સાથે આ ઉજવણી મોકૂફ રાખવામાં આવી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં ઉમેર્યું હતું.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

