ભાવનગર પશ્ચિમના ધારાસભ્યએ જણાવ્યું કે, ભાવનગર જન્મોત્સવ સમિતિના નેજા તળે છેલ્લાં નવ વર્ષથી ભાવનગર શહેરની સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી થાય છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે સતત ૧૦માં વર્ષે સમિતિ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ એપ્રિલ એમ સતત બે દિવસ સુધી શહેરના બોરતળાવ-કૈલાશવાટિકા ખાતે ભાવનગર કાર્નિવલ શિર્ષક તળે ભાવનગરના ૩૦૩માં જન્મદિવસની અનોખી અને રંગારંગ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતત બે દિવસ સુધી શહેરને નવોઢાની જેમ શણગારવાની સાથે બન્ને દિવસ જાહેર જનતા અને નગરજનો માટે કૈલાસવાટિકા ખાતે નિઃશુલ્ક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના હતા. પરંતુ, જમ્મુ- કશ્મીરના પહલગામમાં ગત મંગળાવરના રોજ થયેલાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા છે જેના શોકમાં આ વર્ષે પણ આ ઉજવણી મુલ્તવી રાખવામાં આવી છે. માત્ર અખાત્રિજના દિવસે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી સાદગીસભર ઉજવણી કરવામાં આવશે. તેમણે અંતમાં હતભાગી પરિવારને સાંત્વના પાઠવવા આને દુઃખની ઘડીમાં સમગ્ર ભાવનગર પરિવાર સાથે હોવાના સંદેશ સાથે આ ઉજવણી મોકૂફ રાખવામાં આવી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં ઉમેર્યું હતું.
Trending
- દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
- IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
- મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
- Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
- Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
- Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
- મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના
- Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ