નંદ મહોત્સવ, ધ્વજવંદન, તિલક દર્શન, આરતી, કીર્તન,મહાપ્રસાદ દ્વારા ઉજવણી
Jasdan,તા.25
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી હવેલીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત જસદણની શ્રીનાથજી હવેલીમાં શ્રી રેવાબેન બાબુલાલ નંદલાલ પટેલ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ ફંડના ઉપક્રમે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. હવેલીમાં પુષ્ટિ ધ્વજવંદન ગં. સ્વ. મંજુલાબેન કાંતિલાલ જસાણી (વિછીયા) ના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે રાજુભાઈ જસાણી તથા હીનાબેન જસાણી સહિતના જસણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા વલ્લભાચાર્યજી વિશે સ્પીચ આપવામાં આવી હતી.
નંદ મહોત્સવ, રાજભોગ દર્શન, કીર્તન, મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી દ્વારા મહાપ્રભુજીને તિલક કરી ધોતી ઉપરણા ધરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરતીના દર્શન યોજાયા હતા. રાજભોગના દર્શન બાદ બપોરે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો માટે મહાપ્રસાદ યોજાયો હતો. સાંજે દર્શન સમયે હવેલીના યમુના મહિલા મંડળના બહેનો દ્વારા યમુનાષ્ટકના પાઠ તથા સર્વોતમ સ્ત્રોતના પાઠ સત્સંગ. બહેનો માટે રાસ વગેરે યોજાયા હતા તેમ જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદી જણાવે છે.