Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot : સર ગમે હત્યાના ગુનામાં બહેનની પૂર્વ સાસુના જામીન ફગાવતી અદાલત

    September 17, 2025

    Rajkot : દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર બે મિત્રોને દસ- દસ વર્ષની સજા

    September 17, 2025

    Rajkot મા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot : સર ગમે હત્યાના ગુનામાં બહેનની પૂર્વ સાસુના જામીન ફગાવતી અદાલત
    • Rajkot : દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર બે મિત્રોને દસ- દસ વર્ષની સજા
    • Rajkot મા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
    • Devayat Khawad અને સાથીઓની પોલીસ રિમાન્ડ પુરી થતાં જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા
    • Gujarat માં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ, ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રમાં બીએલઓની નિમણૂક કરાશે
    • 18 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 18 સપ્ટેમ્બર નું રાશિફળ
    • CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુલાકાત લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Bangladesh violence : ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, હિન્દુઓ સાથે મુલાકાત લઈને કહ્યું- સંકટમાં એકતા જરૂ
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh violence : ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, હિન્દુઓ સાથે મુલાકાત લઈને કહ્યું- સંકટમાં એકતા જરૂ

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangladesh,તા.13 

    બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ બાબતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને પગલાં લેવા અને લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવા અપીલ કરી હતી. જે બાદ વચગાળાની સરકારે મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરનારા તોફાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા છે. ઉપરાંત હવે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે (13 ઓગસ્ટ) ઢાકા સ્થિત ઢાકેશ્વરી મંદિરે પહોંચ્યા હતા અને હિન્દુ સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી.

    હિન્દુ સમાજના આગેવાનોથી મળ્યા

    આ દરમિયાન મોહમ્મદ યુનુસ માઇનોરિટી રાઇટ્સ મૂવમેન્ટના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળ અને હિન્દુ સમાજના આગેવાનોથી પણ મળ્યા હતા. આ મુલાકાતમાં હિન્દુ સમાજના લોકોએ યુનુસ સામે આઠ માંગો મૂકી હતી. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુ સમાજ પર હુમલા વધતા બાંગ્લાદેશના હિન્દુઓ તેમના ભાવિ અને સુરક્ષા અંગે ખૂબ જ ચિંતિત છે. આવા સમયે મોહમ્મદ યુનુસે હિન્દુ સમાજના આગેવાનોને મળી તેમને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.

    મોહમ્મદ યુનુસે શું કહ્યું?

    ઢાકેશ્વરી મંદિરની મુલાકાત દરમિયાન યુનુસે કહ્યું કે, ‘દેશને સંકટની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે લોકોમાં વિભાજન કરવાની જગ્યાએ એકતા દર્શાવવી જોઈએ. આવા સમયમાં ધીરજ રાખવી આવશ્યક છે. અમે એવું બાંગ્લાદેશ બનાવવા માંગીએ છીએ જે એક પરિવારની જેમ રહે અને પરિવારમાં ભેદભાવનો કોઈ સવાલ જ નથી. આપણે સૌ બાંગ્લાદેશી છીએ, સૌ કોઈ માટે કાયદો એક સમાન છે.  આપણા બધાએ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણે અહીં શાંતીથી રહી શકીએ. આ દરમિયાન તેમણે લોકોને ધર્મ કે જાતિના આધારે ભેદભાવ ન કરવાની અપીલ પણ કરી હતી.

    હિન્દુઓને ન્યાય અપાવવા કમિટિ રચાશે 

    મીડિયા સાથે વાતચીત કરતા વચગાળાની સરકારના ધાર્મિક સલાહકારે જણાવ્યું કે, સરકાર અગાઉ પણ હિન્દુઓ સહિત લઘુમતીઓની રક્ષા માટે કટિબદ્ધ રહી છે. દરેક પળે તેમની સાથે ઉભી રહી છે. આગળ પણ અમે આવું જ કરીશું. સરકાર આવા મંદિરોની યાદી બનાવી રહી છે, જેમને તોડવામાં આવ્યા છે અથવા લૂંટફાટ કરવામાં આવી છે. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે અમે એક ફાસ્ટ ટ્રેક કમિટી બનાવી રહ્યા છીએ. ગૃહ મંત્રાલય પણ એક બે દિવસમાં આ બાબતે પગલાં લેશે. 

    ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી

    બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર સખાવત હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, ‘લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.’ હુસૈને વધુમાં કહ્યું કે, ‘લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.’

    Bangladesh Bangladesh-Interim-Government Dhakeshwari-Temple Hindu-Temple muhammad-yunus
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Qatar માં ઇઝરાયલી હુમલા બાદ તુર્કી ખૂબ જ ચિંતિત છે, તેને ડર છે કે અંકારા આગામી લક્ષ્ય હોઈ શકે છે

    September 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Zelenskyએ સમાધાન કરવું પડશે, અને યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે,ટ્રમ્પ

    September 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump ની યુકે મુલાકાત પહેલા સુરક્ષામાં મોટી ખામી, વિન્ડસર કેસલ નજીક બે શંકાસ્પદોની ધરપકડ

    September 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ફરી ખાલિસ્તાનીનો `ઉપાડો’ : ભારતીય દુતાવાસ પર કબ્જો કરવા ધમકી

    September 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russia-Ukraine યુધ્ધ વધુ ભડકશે ! 10 અબજ ડોલરનું સૈન્ય પેકેજ મંજુર કરતા ટ્રમ્પ

    September 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    New York Times સામે 15 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કરતા ટ્રમ્પ

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot : સર ગમે હત્યાના ગુનામાં બહેનની પૂર્વ સાસુના જામીન ફગાવતી અદાલત

    September 17, 2025

    Rajkot : દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર બે મિત્રોને દસ- દસ વર્ષની સજા

    September 17, 2025

    Rajkot મા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

    September 17, 2025

    Devayat Khawad અને સાથીઓની પોલીસ રિમાન્ડ પુરી થતાં જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા

    September 17, 2025

    Gujarat માં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ, ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રમાં બીએલઓની નિમણૂક કરાશે

    September 17, 2025

    18 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot : સર ગમે હત્યાના ગુનામાં બહેનની પૂર્વ સાસુના જામીન ફગાવતી અદાલત

    September 17, 2025

    Rajkot : દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર બે મિત્રોને દસ- દસ વર્ષની સજા

    September 17, 2025

    Rajkot મા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.