સિહોરના ઘાંઘળી ફાટર પર ઓવરબ્રિજનું કામ બે વર્ષ ચાલવાના કારણે નેસડાથી રંગોલી ફાટક થઈ સિહોર માટે બાયપાસ આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને આવવા-જવા માટે ૫૦થી ૬૦ કિ.મી. જેટલું અંતર કાપવું પડતું હોય, જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ પૂરૂં ન થાય ત્યાં સુધી નેસડા ફાટકને ભારે વાહનો માટે ખોલવાની સિહોરની વિવિધ સંસ્થાઓ, એસોસિયેશને માંગ કરી હતી.દરમિયાનમાં નેસડા જવાના રસ્તા પર રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સને બંધ રાખવા માટેની સમયમર્યાદા વધારીને તા.૩૧ જુલાઈ સુધીની કરી આપવા બાબતે એનઓસી માંગવામાં આવ્યું હતું. સિહોર નાયબ કલેક્ટરના અભિપ્રાય સહ રજૂ થયેલાં અહેવાલને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે નિર્ણય લેતાં જણાવ્યું હતું કે, રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સની બાજુમાં આવેલા અંડરબ્રિજની ડિઝાઈનના કારણે તેમાંથી એસ.ટી. બસ, મોટા ટ્રક સહિતના વાહનો સરળતાથી પસાર થઈ શકતા ન હોવાથી ટ્રાફિકની સમસ્યાની શક્યતા વધી હતી.જેનોે આગોતરો ઉકેલ લાવવા માટે જ્યાં સુધી સિહોરથી ઘાંઘળી જતાં રસ્તા પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સ (રેલવે ફાટક)ને ખુલ્લું રાખવાનું રહેશે તેમજ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ દરખાસ્ત રજૂ થયે એનઓસી આપવા વિચારણાં કરાશે તેવો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.નેસડા ફાટક ખોલવાનો નિર્ણય થતાં વાહનચાલકોને રાહત મળી છે.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

