Jasdan, તા.08
શહેરમાં રહી કોલેજ નો અભ્યાસ કરતી યુવતીએ વતન જસદણમાં જઈ કુવામાં પડી આપઘાત કરી લીધા ના બનાવમાં પોલીસે આપઘાત ના કારણની તપાસ હાથ ધરી છે.આગે પ્રાપ્ત વિગત અનુસાર જસદણના કાળાસર ગામે રહેતી અને શહેરમાં રહી કોલેજ માં અભ્યાસ કરતી પ્રિયાબેન દેહાભાઈ સાકરીયા ‘૧૯’ વેકેશન કરવા વતન કાળાસર ગઈ હતી ,જ્યાં ગઈકાલે ગામના પાદરમાં આવેલ કુવામાં પડી જતા મોત થયું હતું, પ્રિયાબેન એ કુવા માં પડી આપઘાત કરી લેતા પરિવાર હદ પરત બની ગયું હતું માતા-પિતા મજૂરી કરી ગુજરાત ચલાવે છે દીકરીના આ પગલા ના કારણ અંગે જસદણપોલીસે તપાસ કરી છે