America,તા.22
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં Jewish મ્યૂઝિયમ પાસે થયેલા ગોળીબારમાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. આ ગોળીબાર જે મ્યુઝિયમની બહાર કરવામાં આવ્યો, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન Jewish સમિતિએ કર્યું હતું. FBI ની જોઇન્ટ ટેરેરિઝમ ટાસ્કફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
હોમલેન્ડના સિક્યોરિટી વિભાગના મંત્રી ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં Jewish મ્યૂઝિયમ પાસે ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. અમે સક્રિયતાથી આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને આ સંબંધિત અન્ય જાણકારી મળતા જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને હત્યારાઓને જલ્દી જ ન્યાયના કઠેડામાં લાવીને ઊભા રાખીશું.સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ડૈની ડૈનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યહૂદીઓ સામે આ આતંકવાદી કાર્યવાહી છે.