Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છેડતી માટે ઓસિઝની મહિલા ક્રિકેટરોનો જ વાંક : BJP minister નું વિવાદાસ્પદ વિધાન

    October 27, 2025

    મેઘરાજાના નૂતન વર્ષાભિનંદન : દરિયાકાંઠાના જિલ્લાઓમાં 1 થી 11 ઇંચ

    October 27, 2025

    કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવામાં મોડુ થવાના એંધાણ

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છેડતી માટે ઓસિઝની મહિલા ક્રિકેટરોનો જ વાંક : BJP minister નું વિવાદાસ્પદ વિધાન
    • મેઘરાજાના નૂતન વર્ષાભિનંદન : દરિયાકાંઠાના જિલ્લાઓમાં 1 થી 11 ઇંચ
    • કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવામાં મોડુ થવાના એંધાણ
    • South China સાગરમાં બે અમેરિકી એરક્રાફટ ક્રેશ
    • ASEAN બેઠકમાં ટ્રમ્પ એકલા પડી ગયા : મોદી – પુટીન – જીનપીંગ આવ્યા નહી
    • ભારતમાં Montha વાવાઝોડુ કાલે રાત સુધીમાં આંધ્ર-ઓડીશાના દરીયા કિનારા પર ત્રાટકશે
    • સંવત 2082 : સંગઠનમાં વિશ્વકર્મા સરકારમાં હર્ષ સંઘવી પર નજર
    • ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ
    રાષ્ટ્રીય

    લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.20

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર આવ્યા છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે UPSC અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો છે. એટલે કે હવે સીધી ભરતી નહીં થાય. સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. નોંધનીય છે કે, UPSC દ્વારા લેટરલ એન્ટ્રીથી 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો.

    કેન્દ્રીય  મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.’

    રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો સવાલ 

    જ્યારે રાહુલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. યુપીએસસીએ 17મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના 45 પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં 10 પદ જોઇન્ટ સેક્રેટરી જ્યારે 25 પદ ડાયરેક્ટર, ડે. ડાયરેક્ટરના છે, આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી દ્વારા પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે વિપક્ષ આરોપ લગાવી રહ્યો હતો કે સરકાર હવે અનામત વગર જ સીધી સરકારી ભરતી કરી રહી છે.

    ભાજપના સાથી પક્ષો હતા નારાજ 

    કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા હતા. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી. જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો, પક્ષના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે. આટલું જ નહીં હમ પાર્ટીના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ.

    Lateral-Entry-System PM Modi Rahul-Gandhi UPSC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવામાં મોડુ થવાના એંધાણ

    October 27, 2025
    મુખ્ય સમાચાર

    ભારતમાં Montha વાવાઝોડુ કાલે રાત સુધીમાં આંધ્ર-ઓડીશાના દરીયા કિનારા પર ત્રાટકશે

    October 27, 2025
    રાષ્ટ્રીય

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025
    રાષ્ટ્રીય

    Microsoft લાવી રહ્યું છે નવું ફીચર: કમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે

    October 18, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં વધતા જતા Digital Arrest ના ગુનાઓ પર સુપ્રીમ કોર્ટ સખ્ત

    October 18, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ કલાકમાં ચેક કલીયર થવાની સીસ્ટમ હજુ એક પખવાડીયા પછી યોગ્ય રીતે કામ કરશે

    October 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    છેડતી માટે ઓસિઝની મહિલા ક્રિકેટરોનો જ વાંક : BJP minister નું વિવાદાસ્પદ વિધાન

    October 27, 2025

    મેઘરાજાના નૂતન વર્ષાભિનંદન : દરિયાકાંઠાના જિલ્લાઓમાં 1 થી 11 ઇંચ

    October 27, 2025

    કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવામાં મોડુ થવાના એંધાણ

    October 27, 2025

    South China સાગરમાં બે અમેરિકી એરક્રાફટ ક્રેશ

    October 27, 2025

    ASEAN બેઠકમાં ટ્રમ્પ એકલા પડી ગયા : મોદી – પુટીન – જીનપીંગ આવ્યા નહી

    October 27, 2025

    ભારતમાં Montha વાવાઝોડુ કાલે રાત સુધીમાં આંધ્ર-ઓડીશાના દરીયા કિનારા પર ત્રાટકશે

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છેડતી માટે ઓસિઝની મહિલા ક્રિકેટરોનો જ વાંક : BJP minister નું વિવાદાસ્પદ વિધાન

    October 27, 2025

    મેઘરાજાના નૂતન વર્ષાભિનંદન : દરિયાકાંઠાના જિલ્લાઓમાં 1 થી 11 ઇંચ

    October 27, 2025

    કેન્દ્ર સરકારના કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવામાં મોડુ થવાના એંધાણ

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.