Manipur તા.28
મણીપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી એન.બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ હતું. રાજય વિધાનસભાનો કાર્યકાળ 2027 સુધી છે. પણ તે પહેલા જ તે સસ્પેન્ડ કરી દેવાતા મણીપુરમાં સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપ પ્રેરિત એનડીએનાં 10 ધારાસભ્યો સરકાર બનાવવા માટે દાવો રજુ કરવા માટે ઈમ્ફાલમાં રાજભવનમાં પહોંચ્યા હતા. ભાજપના 8, એનપીપીના 1, અને 1 અપક્ષ ધારાસભ્યે રાજયમાં સરકાર બનાવવો દાવો રજુ કરવા માટે મણીપુરનાં રાજયપાલ અજયકુમાર ભલ્લાની મુલાકાત લીધી હતી તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે 44 ધારાસભ્યોંનુ સમર્થન છે.