Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે
    • Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    • Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં
    • હું હોત તો વિરાટ કોહલીને કેપ્ટન બનાવી દેત : Ravi Shastri
    • Jason Holder લોસ એન્જલસ નાઈટ રાઇડર્સનો કેપ્ટન હશે
    • Indore: પોલીસ પૂછપરછમાં પ્રેમી રાજે ખોલ્યા સોનમના અનેક રહસ્યો
    • Hubli માં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર
    • ભારતમાં મતદારયાદી તૈયાર કરવી એ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Borsad માં મેગા ડિમોલેશન : 220 થી વધુ પાક્કા મકાનો ઉપર બુલડોઝર ફેરવી તોડી પડાયા
    ગુજરાત

    Borsad માં મેગા ડિમોલેશન : 220 થી વધુ પાક્કા મકાનો ઉપર બુલડોઝર ફેરવી તોડી પડાયા

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand,તા.10

    બોરસદ શહેરમાં ૬૦ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. બોરસદ પાલિકાએ કંતાનનગર અને પાંચવડ વિસ્તારમાં પાક્કા અને પતળાવાળા ૨૨૦ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઈ તોડી પડાયા હતા. ડિમોલેશન વખતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ જતા બોરસદમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાલિકાની દબાણ હટાવો ઝૂંબેશમાં ૧૧૦૦થી વધુ રહીશો બેઘર બન્યા છે.

    કંતાનનગરના અગ્રણીઓએ વહેલી સવારે દબાણ દૂર કરતી ટીમને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા માત્ર ૧૨ મકાન માલિકોને જ મકાન તોડવાની નોટિસો આપી હતી. બીજા મકાનો તોડવાની હજુ પણ નોટિસો આપી નથી. તો પછી તમે નોટિસો આપ્યા વિના મકાનો કેવી રીતે તોડી શકો. આ વખતે માહોલ તંગ થયો હતો. છેવટે પોલીસની મદદથી ટોળાઓને વિખેરી નાખવામાં આવ્યા હતા. બોરસદ નગરપાલિકાએ આજે ૬૦,૦૦૦ ચોરસ મીટર જેટલી દબાણ થયેલી જગ્યા ઉપરથી દબાણો ખસેડયા હતા. જંત્રી ભાવ પ્રમાણે આ જમીનની કિંમત અંદાજિત ૪૦ કરોડ થવા પામે છે. બોરસદ પાલિકા દ્વારા શહેરના નિરાશ્રિતો માટે શહેરના વિવિધ વિસ્તારમાં ૨૮,૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન ફાળવીને આવાસ યોજના બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે.

    કંતાનનગરમાં ઘરવિહોણા થયેલા ૧૧૦૦થી વધુ રહીશોના અગ્રણીઓએ હવે બોરસદ પાલિકામાં ભૂખ હડતાલ શરૂ કરવા અંગે આયોજન શરૂ કર્યું છે. શહેરના વન તળાવ, જાકલી તળાવ, વાસદ ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને માત્ર પક્ષપાત કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો. પાલિકાને લેખિત આવેદનપત્ર પણ આપવાની તૈયારીઓ કરાઈ છે. કંતાનનગરમાં શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલેશનમાં બોરસદ પાલિકાનો ૨૫ જેટલો સ્ટાફ, એક હીટાચી મશીન, પાંચ જેસીબી, ૬ ટ્રેક્ટર, જીઇબીની બે અને પોલીસની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર ખડકી દેવામાં આવી હતી.બોરસદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન ચાલુ છે. ત્યારે સોમવારે આણંદ જિલ્લા કલેકટરની સૂચના અનુસાર બોરસદના ચીફ ઓફિસર સહિતની ટીમે મોજરા તળાવના દબાણો દૂર કર્યા બાદ વહેલી સવારથી જ બોરસદ પોલીસ સ્ટેશન પાસે આવેલા પાંચવડ અને સંતાનગરના દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૨૨૦થી વધુ પાક્કા અને પતળાવાળા મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ કરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીના સમયે કંતાનનગરમાં રહેતા રહીશોએ દબાણ સંદર્ભે વિરોધ કર્યો હતો અને પાંચ દિવસની સમય મર્યાદાની માંગણી પણ કરવામાં આવી હતી. છતાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવતા થોડો સમય માટે વિસ્તારમાં તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે બોરસદ પોલીસ અધિકારીઓ, ૪૦થી વધુ પોલીસ કર્મચારીઓ, ૫૦થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો સહિત બે મોબાઈલ પોલીસ વાન વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી હતી. 

    Anand Borsad bulldozers Mega demolition
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    June 12, 2025

    હું હોત તો વિરાટ કોહલીને કેપ્ટન બનાવી દેત : Ravi Shastri

    June 12, 2025

    Jason Holder લોસ એન્જલસ નાઈટ રાઇડર્સનો કેપ્ટન હશે

    June 12, 2025

    Indore: પોલીસ પૂછપરછમાં પ્રેમી રાજે ખોલ્યા સોનમના અનેક રહસ્યો

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.