Junagadh તા. ૧૧
શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫/૨૬ તથા “સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન”ની ઉજવણીના ભાગ રૂપે જૂનાગઢના શહેરીજનોની સ્વાસ્થ્યલક્ષી સુખાકારી જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા તા. ૧૫/૦૬/૨૦૨૫ના રોજ બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ, જૂનાગઢ ખાતે મેયર ધર્મેશભાઈ પોશિયાનાં વરદ હસ્તે સાયકલોથોનનો પ્રારંભ થશે.
આ સાયકલોથોનનો સવારે ૦૬:૩૦ કલાકે બહાઉદીન કોલેજથી પ્રારંભ થશે અને ભુતનાથ ફાટકથી કાળવા ચોક, જયશ્રી ટોકીઝ રોડ, તળાવ રોડ, સરદારબાગથી મોતીબાગ થઈ બહાઉદીન કોલેજ સુધીનો રૂટ રાખવામાં આવેલ છે. આ સાયકલોથોનમાં જોડાવા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે જેની લિંક :https://docs.google.com/forms/d/e/1FAIpQLSe8CNrj2mEqDdF51odxVzi7ktDZqGYLbamAkumVnkNUdM1FmQ/viewform?pli=1
આ તકે સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર ડૉ.ઑમ પ્રકાશ, માન.ડે.મેયર આકાશભાઈ કે. કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન એસ. ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ ડી. અભાણી, દંડક કલ્પેશભાઈ કે. અજવાણી ઉપસ્થિતિ રહેશે.ત્યારે સાયકલોથોમાં સૌ શહેરીજનોને ઉત્સાહભેર જોડાવા મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.