Lucknow તા.13
ભીષણ ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. અત્રે સરોજિનીનગર ક્ષેત્રમાં આજે બપોરે ઈન્ડિયન ઓઈલ ડેપોમાં ઉભેલા ટેન્કરમાં આગ ભભૂકી હતી. આ આગ લાગવાનું કારણ ભીષણ ગરમી બતાવવામાં આવે છે.
આ આગની ઝપટમાં અન્ય એક ટેન્કર પણ આવી ગયું હતું જોકે સદભાગ્યે તે ખાલી હતું. આ ટેન્કર પણ બળીને ખાસ થઈ ગયું હતું. અન્ય ટેન્કર ચાલકોએ જોયું કે બે ટેન્કર આગની ઝપટમાં આવી ગયા છે.
તો તેઓ ટેન્કર લઈને ભાગી છુટયા હતા. જેથી મોટુ દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી.