New Delhi,તા.17
સમયસર આવક વેરા રિટર્ન ભર્યા પછી પણ બાકી રકમ કે રિટર્ન ભરાઈ ગયાની સ્વીકૃતિ મળ્યાના સંદેશની રાહ જોતા લોકો માટે રાહત ભરી ખબર છે. આવકવેરા વિભાગના નવા નિર્દેશ મુજબ જો કોઈ આવકવેરા દાતા નાણાકીય વર્ષ 2022-23 માટે સમયસર આવક વેરા રિટર્ન ભયુર્ં હતું. પરંતુ હજુ સુધી બાકી કરની રકમની વાપસી નથી થઈ કે કોઈ જુનું રિફંડ બાકી છે, તો તેનો નિવેડો હવે આ વર્ષે નવેમ્બરમાં જ કરવામાં આવશે.
જે લોકોએ નાણાકીય વર્ષ 2022-23 એટલે કે કર નિર્ધારણ વર્ષ 2023-24 માટે સમય પર રિટર્ન ભયું છે અને હજુ સુધી કોઈ રિફંડ નથી મળ્યું કે કોઈ જુનું રકમનું રિફંડ બાકી છે તો આ ખબર આપના માટે રાહત ભરી હોઈ શકે છે.
વિભાગે 9 જૂન 2025ના આદેશ જાહેર કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે એવા આઈટીઆર જે સમયસર ભરવામાં આવ્યા હતા પણ જેમનો નિવેડો નહોતો થઈ શકયો તેમનો નિવેડો હવે 30 નવેમ્બર 2025 સુધીમાં થઈ જશે.