Israel,તા.19
હાલ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુધ્ધના કારણે ત્રીજા વિશ્વ યુધ્ધ-પરમાણુ યુધ્ધનો ખતરો પેદા થયો છે ત્યાં ઈઝરાયેલે ઈરાનીઓને અરાક અણુ રિએકટરનો વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે, અને તહેરાન પર હુમલા શરૂ કરી દીધા છે.
ઈઝરાયેલી સેનાએ ઈરાનીઓને અરાક રિએકટર વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલી સેનાએ ઈરાનના લોકોને અરાક અને ખોનદોબ શહેરોનો પણ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ખરેખર તો ખોનદાબ શહેરમાં ઈરાનના હેવી વોટર પરમાણુ રિએકટર્સને ઠંડા કરવામાં મદદ કરે છે આ ચેતવણી ઈઝરાયેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર રેડ સર્કલ કરીને આપી છે ઉલ્લેખનીય છે કે ઈરાનનું અરાક અણુ રિએકટર તહેરાનથી 250 કિલોમીટર દૂર છે.