Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    November 1, 2025

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025

    Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ
    • Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ
    • Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત
    • Jasdan: ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડી
    • Morbi: રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી
    • Morbi: ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
    • Morbi: ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ
    • Morbi: માંથી 3 અને માટેલ પાસેથી 10 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં
    રાષ્ટ્રીય

    ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu and Kashmir,તા.19

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતે ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 110 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પુષ્ટિ કરી છે કે, ઈરાનથી લાવવામાં આવેલા જમ્મુ અને કાશ્મીરના 94 ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટમાં કરીને લખ્યું, ‘સરકાર વિદ્યાર્થીઓને જમ્મુ-કાશ્મીર પરત ફરવા માટે સરળ મુસાફરી માટે પરિવહન વ્યવસ્થા કરી રહી છે.’ જો કે, વિદ્યાર્થીઓને લઈ જવા માટે મોકલવામાં આવી રહેલી બસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.કાશ્મીરના વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી બસથી નારાજ છે. તેમનું કહેવું છે કે, ‘અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ. અમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. હાલમાં અમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને એરપોર્ટ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં સારી સુવિધાઓ મળતી હતી. અમારા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે ત્રણ દિવસથી એક દેશથી બીજા દેશમાં અને એક દેશથી ત્રીજા દેશમાં મુસાફરી કરી રહ્યા છીએ. અમે બસોમાં મુસાફરી કરવા તૈયાર નથી અને બસોની સ્થિતિ પણ એટલી સારી નથી. અમે અમારા મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે અમારા માટે થોડી વ્યવસ્થા કરે જેથી અમે અમારા માતાપિતાને પણ મળી શકીએ.’વિદ્યાર્થીઓના આ આરોપો વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું કે, ‘મુખ્યમંત્રીએ ઈરાનના વિદ્યાર્થીઓને દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર લઈ જવા માટે ગોઠવાયેલી બસોની ગુણવત્તા અંગેની વિનંતી પર ધ્યાન આપ્યું છે. રેજીડેન્ટ કમિશનરને જમ્મુ અને કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (JKRTC) સાથે સંકલન કરવા માટે કહ્યું છે. જેથી સારી ડીલક્સ બસનો વ્યવસ્થા કરવામાં આવે.’સોશિયલ મીડિયા પ્લેટપોર્મ ‘X’ પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, ‘તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +989010144557; +989128109115; +989128109109 નંબર પર મોકલવામાં આવે.’ આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ઈઝરાયલ અને ઈરાન બંનેમાં 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.’ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં 4,000થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ઈરાની અધિકારીઓ સાથે મળીને ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહી છે.

    Iran outraged Jammu and Kashmir Kashmiri students returning
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    FASTag માટે હવે માત્ર વાહનનો એક ફોટો જ પુરતો

    November 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં ભારતના શાહી વારસાએ રેકોર્ડ સર્જયા: ટિપુ સુલતાનની બે પિસ્તોલ 12 કરોડમાં વેચાઈ

    November 1, 2025
    રાષ્ટ્રીય

    પ્રેમ – વાસના વચ્ચે ફર્ક કરાયો : `ન્યાય’ના હિતમાં કાનૂન ઝૂકી શકે છે : Supreme Court

    November 1, 2025
    રાષ્ટ્રીય

    Police હવે AI smart હથિયારોથી હાઈટેક બનશે

    November 1, 2025
    ખેલ જગત

    Asia Cup Rising Stars Championship નું શેડ્યૂલ જાહેર

    November 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાક.માં Hafiz Saeed ની નજીકના આતંકીની સરાજાહેર હત્યા

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    November 1, 2025

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025

    Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત

    November 1, 2025

    Jasdan: ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડી

    November 1, 2025

    Morbi: રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી

    November 1, 2025

    Morbi: ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    November 1, 2025

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025

    Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.