New Delhi તા.20
ભારતીય કૃષિ ક્ષેત્રની નોંધપાત્ર કાયાપલટ થવાનો અંદાજ હોવાથી વર્ષ 2047 સુધીમાં કૃષિ પેદાશોનું ઉત્પાદન ત્રણ ગણુ વધશે, એમ મેકેન્ઝી એન્ડ કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
સૂચિત રિપોર્ટ અનુસાર હાલના સમયમાં ભારતના કૃષિ ક્ષેત્રનું મૂલ્ય 580-50 અબજ ડોલરની રેન્જમાં છે જે વધીને આગામી બે દાયકામાં 1.8 લાખ કરોડ ડોલરથી 3.1 લાખ કરોડ ડોલરની રેન્જમાં રહેશે.
ભારતમાં માળખાકીય નિયમોમાં ફેરફાર, સ્થાનિક ડિમાંડમાં વધારો, કૃષિમાં ટેકનોલોજીનો વધતો વ્યાપ અને નિકાસમાં પણ પકડ મજબૂત થવાથી એકંદર વૃદ્ધિ થશે.
એગ્રિ બિઝનેસ કરનારાઓ માટે વિશાળ તક છે કારણ કે ક્ષેત્રનું ભાવિ ઉજ્જવળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં લાંબા ગાળે ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે.
ભારતમાં મધ્યમ વર્ગિય નાગરિકોની ફૂડ કન્ઝમ્પ્શન પેટર્ન બદલાઈ રહી છે અને તેઓ હાઈ-વેલ્યુ પ્રોડકટ્સ જેમ કે ડેરી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ તરફ વળી રહ્યા છે.