Rajkot તા. ૨૧
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ યોગ દિન નિમિત્તે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે યોગ મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ ડો. મિલન રોકડે મનને તંદુરસ્ત રાખવા માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ, આસાન કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી આપી હતી. આ યોગ મહોત્સવના કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, કન્વીનર ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ યોગિક અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.