ભાવનગર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્રની ચૂંટણીમાં ૭૪.૦૫ ટકા, ઘોઘા તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૨.૫૬ ટકા, તળાજા તાલુકાની ૩૦ ગ્રા.પં.માં ૬૮.૬૭ ટકા, મહુવા તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૬૯.૭૫ ટકા, જેસર તાલુકાની ૦૪ ગ્રા.પં.માં ૭૧.૦૫ ટકા, પાલિતાણા તાલુકાની ૨૪ ગ્રા.પં.માં ૭૫.૯૮ ટકા, ગારિયાધાર તાલુકાની ૦૮ ગ્રા.પં.માં ૬૨.૨૯ ટકા, સિહોર તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૭૨.૭૨ ટકા, ઉમરાળા તાલુકાની ૦૬ ગ્રા.પં.માં ૬૯.૧૯ અને વલ્લભીપુર તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૧.૬૬ ટકા મળી ૨૨૦ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૧.૫૭ ટકા ઉંચું મતદાન થયું છે.જિલ્લામાં ૧૩ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૫૯.૪૬ ટકા મતદાનના આંકડામાં કોઈ ફેરફાર થયો નથી. વધુમાં પાલિતાણા તાલુકાની બે ગ્રામ પંચાયતમાં પુરૂષોના મતદાનની ૬૪.૫૩ ટકા મતદાનની સામે સ્ત્રીઓના મતદાનની ટકાવારી ૬૫.૦૭ ટકા રહી હતી. જિલ્લામાં કુલ ૨૩૩ ગ્રામ પંચાયતમાં રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી તા.૨૫-૬ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળોએ મતગણતરી થશે અને સંભવત્ બપોર સુધીમાં વિજેતા સરપંચો અને ૧૩૪૭ સભ્યોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તો દરેક ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, મતદારોએ કોને જીતનો તાજ પહેરાવ્યો છે તે તો મતગણતરીના પરિણામ બાદ જ જાણી શકાશે. અત્યારે તમામ મતપેટીઓ બંદોબસ્ત સાથે સ્ટ્રોગરૂમમાં સીલ છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા