ભાવનગર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્રની ચૂંટણીમાં ૭૪.૦૫ ટકા, ઘોઘા તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૨.૫૬ ટકા, તળાજા તાલુકાની ૩૦ ગ્રા.પં.માં ૬૮.૬૭ ટકા, મહુવા તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૬૯.૭૫ ટકા, જેસર તાલુકાની ૦૪ ગ્રા.પં.માં ૭૧.૦૫ ટકા, પાલિતાણા તાલુકાની ૨૪ ગ્રા.પં.માં ૭૫.૯૮ ટકા, ગારિયાધાર તાલુકાની ૦૮ ગ્રા.પં.માં ૬૨.૨૯ ટકા, સિહોર તાલુકાની ૩૬ ગ્રા.પં.માં ૭૨.૭૨ ટકા, ઉમરાળા તાલુકાની ૦૬ ગ્રા.પં.માં ૬૯.૧૯ અને વલ્લભીપુર તાલુકાની ૨૨ ગ્રા.પં.માં ૭૧.૬૬ ટકા મળી ૨૨૦ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૧.૫૭ ટકા ઉંચું મતદાન થયું છે.જિલ્લામાં ૧૩ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૫૯.૪૬ ટકા મતદાનના આંકડામાં કોઈ ફેરફાર થયો નથી. વધુમાં પાલિતાણા તાલુકાની બે ગ્રામ પંચાયતમાં પુરૂષોના મતદાનની ૬૪.૫૩ ટકા મતદાનની સામે સ્ત્રીઓના મતદાનની ટકાવારી ૬૫.૦૭ ટકા રહી હતી. જિલ્લામાં કુલ ૨૩૩ ગ્રામ પંચાયતમાં રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી તા.૨૫-૬ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળોએ મતગણતરી થશે અને સંભવત્ બપોર સુધીમાં વિજેતા સરપંચો અને ૧૩૪૭ સભ્યોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તો દરેક ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, મતદારોએ કોને જીતનો તાજ પહેરાવ્યો છે તે તો મતગણતરીના પરિણામ બાદ જ જાણી શકાશે. અત્યારે તમામ મતપેટીઓ બંદોબસ્ત સાથે સ્ટ્રોગરૂમમાં સીલ છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

