ગોહિલવાડમાં વર્ષ ૨૦૧૫ બાદ નૈઋત્ય ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ૫૦ ટકા જેટલો વરસાદ વરસ્યો હોય તેવું આ વર્ષે પ્રથમ વખત બન્યું છે. ગત વર્ષે ૨૧.૫૭ ટકાની સરખામણીએ આ વર્ષે જૂન માસમાં સરેરાશ ૪૯.૮૧ ટકા એટલે કે ૨૮.૨૪ ટકા વધુ વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે જિલ્લામાં થયેલી મેઘમહેરમાં ૭૯.૮૦ ટકા (૪૯૦ મિ.મી.) સાથે ઉમરાળા તાલુકો મોખરે છે. ત્યારબાદ ૭૨.૭૧ ટકા (૪૬૯ મિ.મી.) સાથે સિહોર તાલુકામાં વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં ૫૯.૦૮ ટકા (૩૮૭ મિ.મી.), પાલિતાણા તાલુકામાં ૫૯.૦૫ ટકા (૩૫૯ મિ.મી.), મહુવા તાલુકામાં ૪૯.૭૧ ટકા (૩૪૨ મિ.મી.), ગારિયાધાર તાલુકામાં ૪૭.૮૨ ટકા (૨૧૯ મિ.મી.), જેસર તાલુકામાં ૪૭.૬૧ ટકા (૩૦૯ મિ.મી.), તળાજા તાલુકામાં ૩૬.૦૩ ટકા (૨૦૫ મિ.મી.), ઘોઘા તાલુકામાં ૨૫.૨૪ ટકા (૧૫૯ મિ.મી.) અને ભાવનગરમાં ૨૫ ટકા (૧૮૮ મિ.મી.) મેઘકૃપા થઈ છે. જૂન મહિનામાં જિલ્લામાં સરેરાશ ૩૧૨.૭ મિ.મી. (૪૯.૮૧ ટકા) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.
Trending
- કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
- ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
- Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
- Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
- Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
- Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
- 2 જુલાઈનું રાશિફળ
- 2 જુલાઈનું પંચાંગ